Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 45
________________ ( ૪૦ ) એમાં શોધ કરવાનાં નવાં નવાં ક્ષેત્રે એક પછી એક હમેશાં નિકળ્યા જ કરે છે, અને તેથી અભ્યાસી વિશેષ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરતો જ રહે છે. એક ગ્રહ પછી બીજે ગ્રહ, એક સૂર્યમંડળ પછી બીજું, એમ શોધનાં સાધનો ઉત્તરોઉત્તર વધતાં જ જાય છે. ધારો કે કોઈ મનુષ્ય એટલું જ્ઞાન સંપાદન કર્યું છે કે સ્થલના અંતરાય તેને નડતા નથી અને તે આગળ જઈ સૃષ્ટિના સુક્ષ્મ દેશનું પણ અવલોકન કર્યા કરે છે. આ સાધક ભુવર્લોક જે સામાન્ય લોકોને હાલ અદષ્ય છે તેનું જ્ઞાન મેળવી શકે છે. ત્યાં તેને નવી નવી યોજનાઓ અને નવા નવા નિયમે અનેક રીતે તપાસવા પડે છે. જેમ જેમ બુદ્ધિ ખિલતી જાય છે તેમ તેમ જ્ઞાનના નવા નવા પ્રદેશે તે મનુષ્યની દષ્ટિએ પડતા જાય છે. ભુવલેંકમાં જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે તે કરી રહ્યા પછી તેથી ચઢતા કે તેને શોધવાના રહે છે. હવે તેને માનસલકનું શોધન કરવાનું આવે છે. અહીં પણ નવાજ વિષયે અનેક પ્રકારના હોય છે. ધારો કે આ સાધકે ભૂલેંક, સુવર્લોક અને માનસલોકમાં જે કાંઈ જ્ઞાન મેળવવાનું હોય તે મેળવ્યું છે. આ તે માત્ર આપણું આ ન્હાની સરખી પૃથ્વીના Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98