Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 17
________________ ( ૧૨ ) તદનુસાર આચાર રાખતા હતા, જ્યારે મનુષ્ય પોતે અમર છે એમ ખાતરીપૂર્વક માનતા હતા, ત્યારે સ્વર્ગમાં ફળ ભેગવવાને માટે કર્મ માત્ર થતાં. જે મનુષ્યની પ્રવૃત્તિ રજોગુણ પ્રેરિત હોય તે, ફળ માટે જ કર્મ કરતા હોય છે. તેથી તેઓ સ્વર્ગમાં કાંઈ ફળ મેળવવાના હેતુથી અહિં કાંઈક ભેગ આપે છે. સ્વર્ગમાં અનેક પ્રકારનાં સુખની ઈચ્છાથી દાન વગેરેમાં તે પિતાના પૈસાને અહિં ભેગ આપે છે. સ્વર્ગમાં સુખની આશાથી તે બીજી રીતે પણ ઘણા ભેગ આપે છે. આ પ્રમાણે એ કાળમાં કર્મના ફળની ઈચ્છાથી પણ જે કર્મ કરાતાં હતાં તેનાં ફળ આ દુનીયામાં નહીં પણ સ્વર્ગમાં ભેગવવાની ઈચ્છા હતી, એટલે તેઓ આ દુનીઆમાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કર્મ કરતા ન હતા. હવે જે આપણી પ્રવૃત્તિ આજે ચારે તરફ ચાલી રહી છે, જે કર્મમાર્ગ પશ્ચિમની હાલની મનુષ્ય જાતિએ ગ્રહણ કર્યો છે અને જેનું અનુકરણ પૂર્વના દેશમાં અધિકાધિક થઈ રહ્યું છે, તે જે આપણુ તપાસીએ તો જણાશે કે, કર્મનાં જે ફળની આશા તેઓ રાખે છે, તેઓ જે આશાથી Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98