Book Title: Karmgyan Bhakti
Author(s): Annie Besant
Publisher: Gujarat Kathiawad Thiosophical Federation

View full book text
Previous | Next

Page 22
________________ ( ૧૭ ) અને જેમ જેમ તેને વધારે ભેગ ભેગવવાનાં મળે છે તેમ તેમ તેને અસંતોષનાં કારણ પણ વધે છે. આ અનુભવ થાય છે ત્યારે તેને જે કંટાળો આવે છે તે ઘણેજ અંતિમ હોય છે. આમ થાય છે ત્યારે ઉલટી ક્રિયા થવા માંડે છે. હવે તેને બરાબર સમજાય છે કે આ તેની પ્રવૃત્તિથી તેને સંતોષ થવાને નથી, અને તે વિચારે છે કે “હવે હું આ સંસારનો ત્યાગ કરું, ઈન્દ્રિયેના વિષયથી વિરક્ત થાઉં, કારણકે આ કર્મમાર્ગમાં શાંતિ કે સંતેષ કશું નથી.” આ પ્રમાણે કંટાળો આવવાથી મનુષ્ય, ઈન્દ્રિયના વિષયથી કેટલેક કાળ એકદમ વિરક્ત થવાનું કરે છે, અને ત્યાગી બની શાંતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. પણ અહીં પણ તેને જણાય છે કે, ઈન્દ્રિયોના વિષ ને માત્ર ત્યાગ કરવાથી, તેને છોડી જતાં રહેવાથી શાંતિ થતી નથી, અને તે જ્યારે આમ જાણે છે ત્યારે તેને ઘણીજ દીલગીરી, નાસીપાસી, અને દુઃખ થાય છે. તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે વિષયવાસના જંગલમાં પણ તેને છેડતી નથી. ગુફા કે મલી, જ્યાં જાય છે ત્યાં એ વિષયવાસનાઓ તેની પાછળ ભમે છે, અને ત્યાં પણ આ વાસનાઓની વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98