________________
કલશામૃત ભાગ-૫
પ્રકાશસ્વભાવ છે એમ ચૈતન્યનો જ્ઞાયકપ્રકાશ સ્વભાવ (છે). રાગ હોય એને જાણે, દ્વેષ હોય એને જાણે, ત્રિકાળીને જાણે, નિમિત્તો (કે) જેને અડતો નથી પણ એને પણ સ્વમાં રહીને પ૨ને જાણે. આ..હા..હા...! આવું સ્વરૂપ !
‘કેવો છે સમ્યગ્દષ્ટિ ?” છે ? છેલ્લો શબ્દ છે. ‘અમ્પવરમજ્ઞાનસ્વભાવે સ્થિત:’ (અર્થાત્) “નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે.’ એ જ્ઞાનસ્વભાવ જે ધ્રુવ નિત્ય એનું સ્વરૂપ છે) એમાં પર્યાયથી સ્થિત છે. ધ્રુવ તો ત્રિકાળ સ્થિત છે. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ ધ્રુવ તો ત્રિકાળ છે. ધર્મી તેમાં સ્થિત છે. આહા..હા...! એ રાગમાં આવે છતાં એ જ્ઞાનમાં સ્થિત છે. આહા..હા...! આવી ઝીણી વાતું એટલે લોકોને આ વાત બેસે નહિ ને (એટલે) બિચારા વિરોધ કરે. અવલદોમની વાતું છે, ભાઈ ! આ..હા..હા...!
એ તો નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે.’ આ..હા..હા...! એટલે કે એને રાગાદિ આવે પણ એમાં એ સ્થિત નથી. આ..હા...! એ જેમ પોતાના સ્વરૂપને જાણે છે એમ પોતામાં રહીને રાગને જાણે છે તો એ પોતાના જ્ઞાનસ્વરૂપમાં સ્થિત છે. આહા..હા..! એ મકાનમાં રહ્યો છે કે પૈસા ને વેપાર-ધંધામાં ઊભો હોય તો ઊભો છે ઈ જ્ઞાનમાં છે. બહારમાં એ ઊભો નથી. આહા..હા...! અજ્ઞાની એ પંચમહાવ્રત પાળે, વ્યવહા૨ દયા, દાન આદિ (કરે) પણ (તે) જ્ઞાયકમાં સ્થિત નથી, તે રાગમાં સ્થિત છે. આવો દૃષ્ટિએ ફેર છે. આહા..હા...! એ શ્લોક પૂરો થયો.
૪
(શાર્દૂલવિક્રીડીત)
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वश्रेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि ।
सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि । । २२-१५४ । ।
*
ખંડાન્વય સહિત અર્થ :– સભ્ય તૃષ્ટય: વ તું સાહસમ્ તું ક્ષમત્તે’ ‘(સમ્ય તૃષ્ટય:)’ સમ્યગ્દષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ તે ‘(વ)’ નિશ્ચયથી ‘(વં સાહલમ્' આવું સાહસ અર્થાત્ ધીરપણું ‘(તું)’ કરવાને ‘(ક્ષમત્તે)’ સમર્થ હોય છે. કેવું છે સાહસ ? પતં સર્વથી ઉત્કૃષ્ટ છે. કયું સાહસ ? યત્ વન્દ્રે પતિ પિ અમી વોધાત્ ન હિ ચ્યવન્તે’‘(વત્' જે સાહસ એવું છે કે ‘(વન્ને પતતિ અપિ)’ મહાન વજ્ર પડવા