Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 13
________________ (१३) केशलोचधराशय्या-भिक्षाब्रह्मव्रतादिकम् । दम्भेन दूष्यते सर्व त्रासेनेव महामणिः ।।५।। અર્થ: હાય ! આ દંભથી તો બધું ય ખરડાઈ જાય ! કેશલોચ, ધરતીએ સંથારો, ભિક્ષા અને બ્રહ્મચર્યાદિ વ્રતો ! બધું ય નકામું થઈ જાય ! ભલેને મહામૂલો મણિ હોય પણ એને ય છાંટ (મણિનો દોષ) લાગી જાય પછી એના મૂલ શા રહે? (१४) सुत्यजं रसलाम्पट्यं सुत्यजं देहभूषणम् । सुत्यजा: कामभोगाद्या दुस्त्यजं दम्भसेवनम् ।।६।। અર્થ : હજી બહુ સહેલો છે રસની લોલુપતાનો ત્યાગ. રે ! સરળ છે દેહની વિભૂષાનો બહિષ્કાર ! અને સુશક્ય છે કામભોગોનો ઈન્કાર ! પણ... લોઢાના ચણા ચાવવાથી ય વધુ મુશ્કેલ છે દાંભિકતાનો ધિક્કાર! (૧૧) વોષનિનો તોપૂના ચક્ નોરવું તથા ! इयतैव कदर्थ्यन्ते दम्भेन बत बालिशाः ।।७।। અર્થ: અરે ! આ મૂર્ખાઓની જમાત તો જુઓ ! એ લોકો દંભનો આંચળો ઓઢે એટલે એમના દોષો ઢંકાઈ જાય. લોકો થોડો પૂજા-સત્કાર કરે અને આ રીતે દુનિયામાં થોડું માનપાનનું ગૌરવ પણ મળી જાય ! બસ, આટલી જ એમની સિદ્ધિ ! (૧૬) વસતીનાં યથા શીનમશીનચૈવ વૃદ્ધ / दम्भेनाव्रतवृद्ध्यर्थं व्रतं वेषभृतां तथा ।।८।। અર્થ : અસતીના શીલ (પરને આકર્ષવા માટેના) અશીલની જ વૃદ્ધિ કરે છે ને? તેમ વેષધારીઓના વ્રત પણ દંભ દ્વારા પાપની જ વૃદ્ધિ કરે છે. (१७) जानाना अपि दम्भस्य स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविधासा: प्रस्खलन्ति पदे पदे ।।९।। અર્થ: રે ! કેવા નાદાન લોકો ! પ્રપંચી જીવનના આગામી કટુ વિપાકોના ભડકાઓને જાણવા છતાં તેવા જ જીવનમાં પોતાના સુખની દઢ કલ્પના કરતા ડગલે ને પગલે ઠોકરો ખાતા રહે છે. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194