________________
પ્રાસ્તાવિક
શીખ ધર્મ પણ પિતાની આગવી રીતે ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. અમદાવાદ, વડોદરા વગેરે સ્થળોએ શીખ ધર્મનાં નેધપાત્ર ગુરુદ્વારા આવેલાં છે.
આમ, આજે ગુજરાતી સમાજમાં અનેક ધર્મસંપ્રદાયે પિતાનું આગવું સ્થાન જમાવી ચૂક્યા છે. આ સર્વની વિશિષ્ટતા એ છે કે દરેક ધર્મો પિતાની વિશિષ્ટ શૈલીથી પોતાનાં દેવસ્થાને બંધાવ્યાં છે. ગુજરાતી પ્રજામાં રહેલી ધર્મસહિષ્ણુતાની વૃત્તિને લીધે આ સર્વ દેવસ્થાને પોતપોતાની આગવી રીતે વિકસ્યાં છે. દરેક સંપ્રદાયને પિતાના અનુયાયીઓ મળેલા છે. દરેકના આચારવિચાર, ધાર્મિક માન્યતાઓ અલગ અલગ હોવા છતાં ગુજરાતનું સમગ્ર કલેવર એક જ ધર્મના રંગે રંગાયેલું હોય તેમ જણાય છે અને તે ધમ, તે માનવધર્મ. આજે પણ ભારતના કેઈપણ ખૂણે કુદરતી આફત ઊતરી હેય તે ગુજરાત સહુ પ્રથમ સહાય માટે દોડી જાય છે. આ ગુજરાતના સાંસ્કૃતિક જીવનનું એક ઉજ્જવળ પાસું છે.
સંદર્ભ ગ્રંથ (૧) પ્ર. ૨. જો પરીખ અને ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઠે. હ. ગં. શાસ્ત્રી (સ) ઇતિહાસ, ગ્રંથ-૨ (૨) દુ. કે. શાસ્ત્રી (૧) શૈવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ
વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ (૩) ગિ. વ. આચાર્ય
ગુજરાતના એતિહાસિક લેખે, ભા. ૨, ૩" (૪) ડે. ચીનુભાઈ નાયક ગુજરાતની સંસ્કૃતિમાં ધર્મને ફાળો,
વિદ્યાપીઠ, અં. ૯૯, સં. ૨૦૩૫