________________
રાજ્ય જમાવતા હતા. તેઓ બ્રિટને જોડે યુદ્ધ કરતા, અને તેમને હઠાવીને પિતાના રાજ્યને વિસ્તાર કરતા. તેઓ ટેમ્સ નદીની ઉત્તરના પ્રદેશના માલિક થઈ પડ્યા. પરિણામે અનેક નાનાં રાજ્ય સ્થપાયાં. ઈ. સ. ૮૨૭માં ઈગબર્ટ નામે બળવાન અને ચતુર રાજાએ સર્વ રાજ્યને પિતાની છત્ર નીચે આપ્યાં, અને યુરોપના અન્ય રાજાઓ સાથે મિત્રાચારી બાંધી દેશમાં શાન્તિ સ્થાપી.. આ સમયે ઉત્તર તરફના નિર્દય અને નીડર ચાંચીઆ દેશમાં લુટફાટ કરી ખૂનરેજી ચલાવતા હતા, તેમાંથી બચવાને માટે જુદી જુદી પ્રજાને એકત્ર થયા વિના ઉપાય ન હતો. આખરે એંગલ અને સેકસન પ્રજા એકત્ર થઈ, અને તેમાંથી જે એક પ્રજા બની તેજ અંગ્રેજ પ્રજા છે.
પ્રકરણ રજુ
ડેન લેકેનું આક્રમણ ડેન લેકેઃ ઉત્તરના ચાંચી લેકે સ્વીડન, ડેનમાર્ક અને નેર્વેના રહેવાસી હતા. તેઓ અંગ્રેજો જેવા લાગતા, અને અંગ્રેજીને મળતી ભાષા બોલતા. તેઓ શરા, સાહસિક, નિર્દય અને નીડર હતા. તેઓ મેટાં વહાણમાં બેસી, સાંકળીવાળાં બખતર પહેરી, હાથમાં ફરસી રાખી અનેક વેળા ઈગ્લેન્ડના પૂર્વ કિનારા પર આવતા, અને લાગ મળે તે કઈ નદી વાટે દેશની અંદર ઘૂસી જઈ લૂટફાટ ચલાવતા. અંગ્રેજો ઈંગ્લેન્ડમાં આવી ખ્રિસ્તી ધર્મ પાળવા લાગ્યા. પરંતુ આ લેકે તે જુના મૂર્તિપૂજક ધર્મને વળગી રહ્યા; એટલે લાગ આવે ત્યારે ધર્મષને લીધે મંદિર અને મઠે લૂટતા ને બાળતા, ધર્મગુરુઓની કતલ કરતા, અને અઢળક દ્રવ્ય લઈ જતા. આશરે ૨૦૦ વર્ષ દેશમાં અશાન્તિ ચાલુ રહી. પરંતુ અંગ્રેજો કોઈ વખતે બહાદુરીથી લડીને તેમને હરાવતા, ત્યારે આ ચાંચીઆ લેકો છેક ભૂમધ્ય સમુદ્ર સુધી નાસી જતા. ઈ. સ. ૮૫૦ પછી આવી નાસભાગ બંધ પડી. તેમને દેશની ફળદ્રુપ જમીન પસંદ પડી હતી, અને દેશના લોકોમાં તેમની સામે થવાની શક્તિ નહોતી, એટલે તેમણે
૧. આ લોકોને viking (Creekman) કહે છે. The Seaking's Grave નામનાં રેનેલ રેડનાં કાવ્યોમાં તેમના જીવનને તાદશ ચિતાર આપેલ છે.