________________
વિજય
મારાથી રાજગાદી ન લેવાય.” પરંતુ પ્રધાને, સામંતે અને પુરજનેએ તે તરફ બહુ લક્ષ ન દીધું. તેમણે તે એક જ જવાબ વાળ્યો કે “આપના મોટા ભાઈ અમારે સંપૂર્ણ માન્ય છે, પરંતુ આ આકાશવાણ રાજા તરિકે તો આપને જ અભિષેક કરવાનું ફરમાવે છે. દેવ–આજ્ઞાનું અમારાથી ઉલંઘન ન થાય.”
ઈચ્છા નહીં છતાં વિજયકુમારે કામપુર નગરનું સિંહાસન સ્વીકાર્યું અને મોટા ભાઈને તત્કાળ શોધી કાઢવાનો અનુચરને હુકમ કર્યો. જયકુમારે આ દેખાવ દૂર રહી છુપાઈને જોઈ લીધું. પોતે જે પ્રગટ થાય તે નાનો ભાઈ આગ્રહ કર્યા વિના ન રહે, તેથી ભાઈના કલ્યાણમાં જ પોતાની કુશળતા માની તે વિદ્યાધરની જેમ આકાશમાગે ઘણા દૂરના દેશાવરમાં પહોંચી ગયે. અનુચરે પણ તપાસ કરતાં થાકીને પાછા ફર્યા.
* એક દિવસે જયાપુરી નામની નગરીમાં જયકુમાર ફરતે હતે એટલામાં રૂપ–સાંદર્ય અને લાવણ્યથી નીતરતી એક નવવના તેની નજરે પડી. જયકુમાર તેના રૂપમાં મેહમુગ્ધ બન્ય.
એ રૂપવતી યુવતીનું નામ કામલતા હતું અને તે પોતાનાં રૂપને તથા દેહને વેચી પોતાની આજીવિકા ચલાવતી હતી. જયકુમારે આ હકીકત જાણું, વેશ્યાએ માત્ર ધનની જ સગી હોય છે એ જાણવા છતાં મોહાંધ કુમાર કામલતાની પાછળ ઘેલ બન્યા. યક્ષે આપેલ મણિના પ્રતાપે તે અખૂટ ધન-સંપત્તિ મેળવી શકે એમ હતું, તેથી ધનની ચિંતા કર્યા વગર તે કામલતાની મોહજાળમાં બંધાઈ ભાતભાતના ભેગે પગ ભેગવવા લાગ્યો.
કામલતાની વૃદ્ધમાતાને આશ્ચર્ય થયું કે “ આ પરદેશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com