Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 72
________________ પૂરી , જુદી સતી એ જમાનામાં બૈદ્ધો અને જેને વચ્ચે ભારે હરીફાઈ ચાલતી. બુદ્ધધર્મના અનુયાયીઓ જેનેને અપમાનિત કરવાની કઈ તક જવા ન દે. જેનધર્મને ઉત્કર્ષ જેમાં કેટલાક બદ્ધ અનુયાયીઓ મનમાં સળગ્યા કરતા. આવા સગોમાં જિનદાસ શેઠ જેવા એક પ્રસિદ્ધ જૈન શ્રીમંતની કન્યા, દૂર દેશમાં શ્રાદ્ધધમીં સાસુ-સસરા તથા નણંદ વચ્ચે વસે તે કદાચ કન્યા દુઃખમાં આવી પડે એવો ભય પિતાના હદયમાં રહે એ સ્વાભાવિક જ ગણાય. છતાં જમાઈના અતિ આગ્રહને માન આપી જિનદાસ શેઠે સુભદ્રાને શ્વસુરગૃહે વળાવી. પિતાને પુત્રીની આસ્તિક્તા, શ્રદ્ધા તથા દઢતા વિષે પૂરેપૂરી ખાત્રી હતી. તેમને વિદાય આપતાં જિનદાસે બુદ્ધદાસને જુદા ઘરમાં રહેવાની અને સુભદ્રાના ધર્મવિચાર તથા ધર્મવિધિ વિષે જોઈતી સંભાળ રાખવાની ભલામણ કરી. | ચંપાનગરીમાં કેટલીક ઇર્ષાળુ સ્વભાવવાળી સ્ત્રીઓની આંખમાં સુભદ્રાનું સૌભાગ્યસુખ કણાની જેમ ખૂંચવા લાગ્યું. તેમને મન બુદ્ધદાસ સ્ત્રીના દાસ જે જણાય. જોતજોતામાં આખા નગરમાં સુભદ્રા અને બુદ્ધદાસ લેકબત્રીશીએ ચડી નિંદાવા લાગ્યાં, પરંતુ એ પ્રણયી દંપતીએ અપવાદ કે નિંદાની મુદ્દલ દરકાર ન કરી. આત્મસુખમાં જ જેમનો સંતોષ સમાયેલ હોય તેઓ જગતની નિંદા કે સ્તુતિથી નિલેપ રહે છે. પણ એ સ્થિતિ ઝાઝીવાર ન ટકી. આઘે આઘે સળગતો દાવાનળ ધીમે ધીમે ઘરના આંગણુ સુધી પહોંચે. બુદ્ધદાસનાં માતપિતા એક તે પ્રથમથી જ સુભદ્રાની જિનશાસન પ્રત્યેની ભક્તિ જોઈ બળ્યા કરતાં. એક બુદ્ધધર્માનુયાયી કુટુંબમાં સુભદ્રા જેવી નારી સૌથી જૂદી પડી જેન આચાર પાળે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જઈને

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102