________________
૭૪
હંસ અને પિકારથી વધાવતાં કેટલાય યાત્રિકો કેશવની સામે દોડ્યા. ઈષ્ટદેવની મહતુ કૃપા થઈ હોય અને એ કૃપાના પ્રતાપે જ આ વિકટ અરણ્યમાં આવે અતિથિ આવી ચડ્યો હોય એ ભાવ સના મુખ ઉપર તરવરતો હતો. આ અણધાર્યા સન્માનનું કારણ કેશવ કલ્પી શકે નહીં. યાત્રિકમાંના એક મુખ્ય પુરુષે ખુલાસે કર્યો: “આજે અમારા વ્રતનું પારણું છે. અમે એકાદ અતિથિની જ રાહ જોતા હતા. સારું થયું કે તમે આવી ચડ્યા. અતિથિને ભેજન કરાવ્યા પછી જે અમે પારણું કરીએ તો અમને મહતું પુણ્ય પ્રાપ્ત થાય એમ માનીને જ અમે આપનું આટલું સ્વાગત તથા સન્માન કરીએ છીએ.”
“અરે ભલા ભાઈઓ ! રાતે તે કયાં પારણાં થતાં હશે?” સાત દિવસને ભૂખ્યા-તરસ્ય અતિથિ કેશવ મનને મજબૂત કરી છે. તેને અવાજ ક્ષીણ થઈ ગયે હતો. આંખે અંધારાં આવતાં હતાં, માર્ગના અતિથાકને લીધે તેનું આખું અંગ કળતું હતું, છતાં રાત્રિ હોવાને લીધે તેણે નેહભર્યા સત્કાર તેમ જ સ્વાદિષ્ટ ભજનપ્રત્યે નજર સરખી પણ ન કરી.
યક્ષના ઉપાસકોએ ભેગા થઈને કેશવને મૂંઝવવા સારુ ખાસું કાવતરું રચ્યું હોય તેમ ચિત્યના ગર્ભાગારમાંથી એક વિકરાળ પુરુષ બહાર આવ્યો. અંધકારમાં તેના બે સળગતાં નેત્રો ભયંકર ભાસતાં હતાં. તેના એક હાથમાં ખડ્ઝ અને બીજા હાથમાં મુદગર હતું. ખર્ગ તરફ ઈશારો કરી તે કહેવા લાગ્ય: પથિક! તું ક્યાં આવ્યો છે તે જાણે છે? અહીં અમારી સત્તામાં આવ્યા પછી પણ અમારા ધર્મનું તું અપમાન કરે છે? જે તું અમારું આતિથ્ય સ્વીકારી, ભેજન નહીં કરે તે આ ખર્શવતી તારે શિરચ્છેદ કરતાં અમને કઈ રોકી શકે તેમ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com