Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 91
________________ વંકચૂલ વિમલ રાજાને પુત્ર પુષ્પચલ નાનપણથી જ એટલે બધા નાદાન હતું કે લોકોએ પુષચલને બદલે તેનું નામ વંકચૂલ રાખ્યું, પણ જ્યારે એ તોફાન પ્રજાને અસહ્ય થઈ પડ્યું ત્યારે તેમણે રાજાને ફરિયાદ કરી અને પ્રજાને રંજાડનાર પિતાના પુત્રને પણ રાજાએ તત્કાળ ત્યાગ કર્યો. વંકચલ સાથે તેની બહેન પણ ભાઈ પ્રત્યેના સ્નેહને લીધે રાજ્યમાંથી ચાલી નીકળી. વંકચલ ફરતે ફરતે અરણ્યમાં જઈ ચડ્યો. ત્યાં એક લૂંટારા ભીલ લોકોના સરદારે, તેને રાજપુત્ર જાણી આશ્રય આપે. વંકચૂલ પિતાનાં પરાક્રમ અને સાહસથી ભીલોમાં બહુ જ માનીતો થઈ પડ્યું. તે બીજા ભીલોને સાથે લઈ લૂંટફાટ કરવા લાગ્યો. ભીલેએ તેને પિતાને પલ્લી પતિ-રાજા બનાવ્યું. એક દિવસે સંઘના સમૂહથી જુદા પડી ગયેલા ચંદ્રયશસૂરિ ભીલ લોકેના આ ગામમાં આવી ચડ્યા. ચાતુર્માસ નજીકમાં જ હોવાથી તેઓ વધુ વિહાર કરી શકે એમ ન હતું. તેમણે વંકચૂલ પાસે ઊતરવાનું–ધર્મધ્યાન કરવાનું સ્થાન માગ્યું. વંકચૂલ ગમે તે લૂંટારો થયો હોય પણ તે રાજપુત્ર હતો. તેનામાં ખાનદાની ભરી હતી. તેણે વિનયપૂર્વક સૂરિજીનું બહુમાન કર્યું અને ઊતરવા માટે તેમ જ ચાતુર્માસમાં ધર્મધ્યાન કરવા માટે સારું સ્થાન કાઢી આપ્યું. વંકચૂલે સૂરિજીને ઉપાશ્રય તે આપે, પણ તે સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102