Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 87
________________ કેશવ ૭૫ મૃત્યુના પંજામાં સપડાવા છતાં રાત્રિભોજન વ્રત ઉપર અચળ રહેનાર કેશવ સહેજ હસ્યું. તેણે ઉશ્કેરાયા વિના જવાબ આપે : “ મૃત્યુને ભય બીજા કોઈને બતાવજે. લીધેલા વ્રતનું પાલન કરતાં કદાચ મૃત્યુને ભેટવું પડે તે પણ એ મૃત્યુ એક મહત્સવના રૂપમાં જ ફેરવાઈ જવાનું.” વિકરાળ પુરુષને લાગ્યું કે આ વ્રતધારી સાથે બળને બદલે કળથી કામ લેવામાં જ કંઈક લાભની આશા રાખી શકાય. તેથી તેણે વાતને ફેરવી અને કહ્યું: “તારા ગુરુ પોતે આવીને તને રાત્રે ભજન કરવાનું કહે તો તને કંઈ વાંધો ખરો?” વીતરાગપ્રણીત ધર્મને માનનારા મારા ગુરુ કોઈ દિવસ પણ મને રાત્રે ભજન કરવાનું ન કહે અને કદાચ કહે તે સમજવું કે એ સાચા ગુરુ નથી, પણ કઈ વેષધારી પાખંડી છે.” કેશવે આમ કહી સામે નજર કરી તો તેણે ધર્મછેષસૂરિ જેવા એક પુરુષને સામે ઊભેલા જોયા. તેઓ કેશવને સંબોધીને કહેવા લાગ્યા : “ મારી આજ્ઞા છે. તું ખુશીથી આ યાત્રિકોના આગ્રહને માન આપી ભજન કરવા બેસ.” કેશવની સૂક્ષ્મ વિવેકબુદ્ધિને આ તરકટ સમજતાં વાર ન લાગી. આ બધાં પાત્ર જાણે જાદુઈ માયાથી હાજર થતાં હોય અને પિતાને ભૂલાવામાં નાખતાં હોય એમ તે કળી ગયે. કેશવ જે ભજન ન કરે તે તેના ગુરુને વધ કરવા સુધીની પેલા ભયંકર પુરુષે ધમકી આપી, પણ કેશવને એથી મુદ્દલ સૈાભ ન થયે. કંઈ નહીં, એ વાત જવા દ્યો, આજે તમે ખૂબ જ થાકી ગયા છે. ભૂખને લીધે બહુ ખિન્ન બન્યા છે. એટલે શેડો આરામ કર્યો. જુઓ સામે તમારા માટે જ પથારી તૈયાર કરી છે. પ્રાત:કાળ થતાં તમને જમાડી અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102