Book Title: Charitavali athva Katha Sangraha Part 01
Author(s): Sushil
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 56
________________ જ કલા બનાવવા કેટલે બધે આતુર હતા ? અને કલાવતી સાથે લગ્ન કર્યા પછી પણ પોતે પોતાને કેટલે ભાગ્યશાળી માનતો? કલાવતીમાં જ તેનું સર્વસ્વ સમાયું હતું. કલાવતીના નેહ પાસે તે પિતાની રાજસંપત્તિને પણ તુચ્છ માનતો. આજે કલાવતી તેને માયાવિની લાગી. રૂપ અને ગુણની નીચે દુષ્ટતાનાં થર પથરાયેલાં હોય એમ તેને લાગ્યું. “કલાવતી મારા સિવાય અન્ય કોઈ પુરુષને ચાહે છે.” એમ તે છપે રહીને જોઈ શકે. તેને પોતાને વિષે તિરસ્કાર છૂટયો. એક નારીમાં પોતાને સંપૂર્ણ વિશ્વાસ મૂકવા બદલ પિતે પિતાને જ અપરાધી માનવા લાગ્યો. કલાવતીના હાથમાં આ નવીન વલય ક્યાંથી આવ્યાં ? કેણે મેકલ્યાં?” તે વિષે પૂછવાપણું કે તપાસ કરવા જેવું પણ કંઈ ન લાગ્યું. તે ચૂપચાપ એક શબ્દ સરખે પણ બેલ્યા વિના પિતાના આવાસમાં ચાલ્યા ગયે. તેના મેં ઉપર ક્રોધ અને વિષાદની ઘોર કાલિમા છવાઈ ગઈ. મહેલના અનુચરે પણ રાજાની ક્રૂર મુખમુદ્રા નિહાળી ભયભીત બન્યા. - સૂર્યનાં કિરણ પણ જે અંતઃપુરમાં પ્રવેશતાં થરથરે ત્યાં સ્નેહની ભેટ પહેચે ત્યારે તે અનાચારની અવધિ જ અંકાવી જોઈએ. રાજા શંખે નિશ્ચય કર્યો કે: “કલાવતી એક દુરાચારી નારી નવડી. આ જગત ઉપર જીવવાને તેને કંઈ અધિકાર ન હોઈ શકે.” હજારે નાગરિકોને ન્યાય આપનાર શંખ રાજા કલાવતીને ન્યાય આપવામાં અશક્ત નીવડ્યો. ન્યાયપ્રિય અંતરાત્માએ છે એ સુવર્ણ–વલય કેવી રીતે, કેની તરફથી આવ્યાં?” એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102