________________
રાજા
૩૭
આવી નિર્ભય અને સત્ય વાણું સાંભળી દુશ્મન રાજાના લોભી માણસો પણ દાંતમાં આંગળી નાંખી ગયા. હવે શું કરવું ? એનો વિચાર ચાલે છે એટલામાં આકાશને વિષે દેવતાઓએ તંદુભિના નાદ કર્યા. “ સત્યવાદી રાજા હંસને જય” એ જયધ્વનિ તરફ થઈ રહ્યો.
તમારા સત્ય અને અહિંસાવ્રત ઉપર હું સંતુષ્ટ થયા છું. મેં પોતે જ તમારા મનને નસાડી તમારા રાજ્ય અને સંપત્તિની રક્ષા કરી છે. જે ચિત્રી પૂર્ણિમાની યાત્રા કરવા તમે નીકળ્યા છે તે દિવસ આજે જ છે, માટે મારી સાથે આ વિમાનમાં બેસી જિનેશ્વરનાં દર્શન કરવા પધારે. ” એમ કહી દેવતાએ રાજા હંસને બહુમાન સાથે પોતાના વિમાનમાં બેસાર્યા. રાજા હંસે ખૂબ ભક્તિભાવથી તીર્થયાત્રા કરી.
પિતાના દુશમન રાજાને પણ ક્ષમા આપી બંધનમુક્ત કર્યો. તેની આ પ્રકારની ઉદારતા જોઈ દે અધિક પ્રસન્ન થયા.
સત્ય, અહિંસા અને જિનભક્તિનો પ્રભાવ જ એ છે કે જેઓ વિવેકપૂર્વક એ વ્રત પાળે તે મનુષ્યને તો શું પણ દેવતાઓને પણ પિતાના દાસ જેવા બનાવી દે છે. રાજા હંસનું જીવન એ જ વ્રતને મહિમા પ્રબોધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com