________________
-
પર્વના
કર્તાવ્ય
પાંચ
અમાર
પ્રવર્તાન
કર્તાવ્યો ૧લે દિવસ
ધર્મ હૈયામાં હોય તો ધર્મી જન-સાધર્મિક બંધુ–પ્રત્યે હૈયામાં ભાવ જાગે. શ્રાવક નબળો દુબળો શા માટે દેખાય છે? કારણ કે ધર્મ સાથેનો સુખી માણસોનો નાતો ઘણે અંશે તૂટી ગયો છે. તેથી ધર્મ કરનાર—ધર્મી–સાધર્મિક સાથે સંબંધ તૂટી ગયો છે. ઉપાશ્રય, કેસર, સુખડ, વગેરેમાં તોટો આવે છે, કારણ કે ધર્મ પ્રત્યે ભાવ ઘટયો છે. આવા બધા તોટા પૂરવા માટે એક બીજા એક બીજાના માં સામે જોશે, લખપતિ હજાર પતિના માં સામે જોશે અને હજારપતિ લખપતિને મેં સામે તાકશે. એક ૧૦૦ રૂ. ભરે તો પછી બીજા ૭૫ જ લખાવશે. આથી ખાતાઓની ખોટ પુરાતી નથી. પછી દેવદ્રવ્યના હવાલા નાંખીને બધા ખાતાનો વહેવાર ચલાવાય છે. જ્યાં દેવદ્રવ્યનું ભક્ષણ થતું હોય, ત્યાં તે ધર્મ, તે સંધ કે તે પેઢી કયાંથી ઊંચી આવે?
આજે ધર્મ સાથે માનસિક સંબંધ તૂટી ગયો છે. ફકત કાયિક-કાયિક સંબંધ રહ્યો છે. પ્રભુ પ્રત્યે અહોભાવ જાગતો નથી, “મારા નાથ ! ત્રણ લોકના નાથ ! અહાહા કેવા ! પરમ કૃપાળુ ! કરુણામય ! ” આ ભાવ નથી. પછી ઉછામણીમાં ભલેને ૫૦ લાખની ઉપજ થઈ હોય. ભગવાનને હદયમાં પ્રતિષ્ઠિત કરવામાં એક પૈસાનો ખર્ચ નથી પણ તે મફતીઓ ધર્મ પણ થતું નથી. હૃદયમાં પ્રભુ ઓતપ્રોત થવા જ જોઈએ.
૪ []