________________
જ
[૧૨૫]
7 ઉત્તમ સુવાસવાળા કુલ જઈને જૈન સંઘ હર્ષવિભોર બનીને જિનભકિતમાં ગરકાવ બની
ગયો. રાજાને ખબર પડી કે વજસ્વામીજી મહારાજે આ બધું કર્યું છે. રાજા નમ્ર બની ગયો, અને મહારાજને નમસ્કાર કર્યા. તેણે પોતાની ભૂલની ક્ષમા યાચી. મહારાજના ઉપદેશથી બૌદ્ધ ધર્મ રાજા જેન ધમ બને. આ પ્રમાણે વજસ્વામીજીએ જબરજસ્ત શાસનની પ્રભાવના કરી. આવી ભવ્ય શાસન પ્રભાવના પૂર્વક ચૈત્યપરિપાટી કરવી જોઈએ. ચૈત્યપરિપાટી વખતે બધાએ સાથે જ જવું જોઈએ. તે વખતે બધાના હાથમાં નાની મોટી થાળી હોય; તેમાં પૂજા અંગેના સર્વ દ્રવ્યો હોય. તે ઉપકરણો દરેક મંદિરમાં મૂકવા જોઈએ. જેટલા દેરાસર તેટલા ઉપકરણો દરેક સુખી માણસે સાથે લેવા જોઈએ.
[૧૨૫)