________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૦૫
સ્વીકારવું જોઈએ કે અમુક પદાર્થને આશ્રીને જે ધર્મ અને ધર્મી તેમનો ધર્મ ધર્મી રૂપે ભેદ છે, અને સ્વભાવથી અભેદ છે. કેમકે જો સ્વભાવથી પણ ભેદ માનો તો પરસ્પરથી વિભક્ત રૂપવાળા બે પદાર્થ જ માનવા પડે. એક જ પદાર્થ દ્વિરૂપ છે એમ ન કહી શકાય. આ પ્રકારનો સ્વીકાર થાય ત્યાં પણ ઘણું કહેવાનું છે. જેના સ્વભાવનો ભેદ હજા સિદ્ધ થયો નથી એવા ધર્મ અને ધર્મનો ધર્મધર્મી રૂપે ભેદ ઘટતો નથી. જાઓ જે ધર્મનો સ્વભાવ છે તે જ ધર્મીનો સ્વભાવ થાય, તો ધર્મી પણ ધર્મ સ્વરૂપની પેઠે ધર્મરૂપ હોવાથી, ધર્મરૂપે જ થઈ રહે;
(પાના નં. ૪) અથવા ધર્મ પોતે, ધર્મી સ્વભાવથી જેનું સ્વરૂપ ભિન્ન નથી એવો, ધર્મી માત્ર જ થઈ રહે. આ પ્રકારે ધર્મ અને ધર્મીનો ભેદ જ સિદ્ધ ન થવાથી, પરસ્પરથી ભિન્ન નહિ એવા ધર્મ અને ધર્મી તે ભેદનું નિમિત્ત શી રીતે થઈ શકે? વળી સ્વભાવ થકી જ તેમનો ભેદાભેદ છે એ કલ્પના પણ યુક્ત નથી, કેમકે હમણાં જ બતાવી ગયા તે દોષ તે ઉપર લાગુ થાય છે. કહ્યું પણ છે કે “ધર્મ અને ધર્મીનો ભેદ છે; કે અભેદ છે, કે ભેદભેદ છે. જો ભેદ હોય તો એક અનેક રૂપ થાય નહિ, અભેદ હોય તો પણ એક અનેક થાય નહી. ભેદભેદ પક્ષ પણ, વિકલ્પની અનુપપત્તિને લીધે, અયુક્ત છે, માટે આ જે અનેકાન્ત વાદ છે તે અજ્ઞાની
For Private and Personal Use Only