________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫૪
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
પ્રસંગ આવે, કેમકે વિશેષો અનંત છે. અથવા એક વિશેષ વિના બાકીના અન્ય વિશેષો સામાન્ય શૂન્ય થઈ પડશે, અને સામાન્ય અનંત માનશો તો સામાન્યની એકતાનો વિરોધ થશે. એક દેશે કરી રહે છે એમ પણ નહિ કહી શકાય, કેમકે સામાન્યને દેશવાળુ માનવાનો પ્રસંગ આવે. આકાશની પેઠે વ્યાપક હોઈ રહી શકે છે એમ અકલંક ન્યાયને અનુસરનાર વચન પણ મનોહર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૬૦) કેમકે વિચારી ન જોઈએ ત્યાં સુધી જ રમણીય લાગે છે. સંપૂર્ણ રીતે અને દેશથી એ બે વિના રહેવાનું દેખાતું નથી.
ઉભયે વિના આકાશની વૃત્તિ છે એમ પણ ન કહેવાય કેમકે તે અસિદ્ધ છે, આકાશનું પ્રદેશવાળાપણુ સ્વીકારેલું છે, નિઃપ્રદેશત્વ કહેતાં અનેક દોષ પ્રાપ્ત થાય છે. જીઓ-જે દેશથી આકાશ વિંધ્યાચલ સાથે સંયુક્ત છે તે જ પ્રદેશથી હિમાલય મંદરાચલ આદિ સાથે સંયુક્ત છે, કે અન્ય પ્રદેશથી ? જો તેના તે જ પ્રદેશથી કહો તો વિધ્યહિમાદ્રિ આદિનું એકત્ર સ્થાન થવાનો પ્રસંગ આવે; કેમકે એ વિના નિઃપ્રદેશ એવા આકાશનો સંયોગ ઘટતો નથી. અન્ય પ્રદેશથી એમ કહો તો તો આકાશનું સપ્રદેશત્વ સ્વીકારાયું.
આકાશ તો અપ્રદેશવાળું છે. એટલે આ બધા વિકલ્પ નકામા છે, કેમકે એક જ આકાશમાં વિન્ધ્ય-હિમાદ્રિ વગેરે
For Private and Personal Use Only