________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૫૩
કોઈ અન્ય કહે છે કે હે જૈન ! તમને જેમ ક્રમરહિત અને સામાન્યવિશેષ સ્વભાવવાળી વસ્તુને વિષે, તે પ્રકારના ક્ષયોપશમના અભાવને લઈ, અવગ્રહ કાલે જ વિદ્યમાન એવા પણ ઈહાદિ ગોચર ધર્મોનું જ્ઞાન થતું નથી,
(પાના નં. ૫૮) જો થાય, તો ઇહાદિજ્ઞાન ગૃહિતગ્રાહી થઈ અપ્રમાણ થઈ જાય, તે જ રીતે અમારા જેવા બાહ્ય દ્રષ્ટિ જનોનાં ચિત્ત કિલષ્ટ હોવાથી વિદ્યમાન એવા પણ સજાતીયભેદનું જ્ઞાન થતું નથી. સકલ રાગાદિ વાસના કલંક રહિત યોગીઓને તો જ્ઞાન થાય જ છે.
(પાના નં. ૫૯) આ કહેવું પણ યોગ્ય નથી. ઇહાદિ ગોચર ધર્મોનું ગ્રહણ પ્રમાતા, ઘણું કરીને અવગ્રહ પછીના કાલમાં કરે છે અને સજાતીય ભેદ ગ્રહણ તો ક્યારે પણ કોઈને પણ ઉત્પન્ન નથી થતુ. યોગીને ગ્રહણ થાય છે એ પણ શ્રદ્ધગમ્ય માત્ર છે, કેમકે તેનું કાંઈ પ્રમાણ નથી.
વળી જે કહ્યું હતુ કે “સામાન્ય એક છે, વિશેષ અનેક છે વગેરે તે પણ અયુક્ત છે કેમકે એમ અમે સ્વીકારતા જ નથી, અમે એવું સામાન્ય માનતા જ નથી, કેમકે તે યુક્તિરહિત છે. જાઓ-તે એકાદિ સ્વભાવવાળું સામાન્ય તે દિશા, દેશ, કાળ અને સ્વભાવથી ભિન્ન એવા અનેક વિશેષોને વિષે સંપૂર્ણ રીતે રહે છે કે એક દેશથી રહે છે. સંપૂર્ણ રીતે તો રહે નહિ, એમ તો અનંત સામાન્ય માનવાનો
For Private and Personal Use Only