Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 210
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૮૩ અભાવ હોવાથી તથા પ્રતિપક્ષભૂત અભ્યાસથી પણ કાંઈ અતિશય ઉપજવાનો ન હોવાથી મુક્તિનો જ અસંભવ થઈ જશે, ઇત્યાદિ તે પણ અમારા પક્ષને કાંઈ ક્ષતિ કરી શકતું નથી, અમે તે વાત સ્વીકારતા જ નથી, કેમકે અમે આત્માદિ વસ્તુને એકાન્ત નિત્ય માનતા નથી. ત્યારે કેવી માનીએ છીએ? કથંચિત્ નિત્ય માનીએ છીએ. આત્માની જે પ્રકારે નિત્યાનિત્યતા કે સત્સદ્ગપતા છે તે રીતિ બતાવાઈ ગઈ છે. જે નિત્યાનિત્ય ધર્મવાળું છે તેને વિષે જ ગ્રાહ્યાગ્રાહકભાવ, સ્વકૃત કર્મ ફલોપભોગ, સમ્યકજ્ઞાન, ભાવના, ઇત્યાદિ ઘટી શકે છે, કેમકે તે કથંચિત્ અવસ્થિત છે એવો અનુભવ છે, વસ્તુ સદસર્પાદિપણે અનુભવથી સિદ્ધ થયે છતે વિરોધિધર્મોથી અધ્યાસિત સ્વરૂપનું કહેવું યોગ્ય નથી. કેમકે જો વસ્તુ સદસરૂપે ન હોય તો વસ્તુનો અભાવ થાય. માટે વિરોધ સિદ્ધ થતો નથી, એમ પૂર્વે કહ્યું છે. બૌદ્ધો પણ સ્વલક્ષણોમાં સાધારણપ્રમેયતા અને બ્રાન્તિમાં અભ્રાન્ત એવી સ્વસંવિત્ માને જ છે. (પાના નં. ૯૬) જો તેમ ન માને તો તેમના સ્વલક્ષણાદિમાં પ્રમેયતાદિનો અભાવ થાય. વિદ્વાનનું તે રીતે વિરોધનું કહેવું તે વિદ્વત્તાનું વિરોધિ છે. સ્વલક્ષણાદિ જો સાધારણ પ્રમેયતાદિ રૂપે ન હોય તો બધા વ્યવહારનો અભાવ થવાનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220