________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ થનાર અને તેનાથી જ નિવર્ય જે કાર્યાન્તર તેને સિદ્ધ થવાનો પ્રસંગ છે, કેમકે તેના ભાવ માત્રની જ તે અપેક્ષા કરે છે; અને આમ છે એટલે તેના સભાવ માત્રથી જ અન્યની પણ ઉત્પત્તિનો સંભવ છે, અથવા કાર્ય તેના પછી થાય એમ કહીએ
(પાના નં. ૯૪) તો તક્ઝિર્વત્યપત્તિ આવે, તેથી અતિપ્રસંગ થાય છે ત્યારે હવે વાસનાનું આધાર કરીને નિરૂદ્ધ થાય છે, એમ કહો તો તે પણ અયુક્ત છે. કેમકે વાસ્ય અને વાસક એક વખતે હોઈ શકે નહિ. વળી, “વાસના વાસકથી ભિન્ન છે? કે અભિન્ન છે? જો ભિન્ન કહો તો તેનાથી શૂન્ય વાસક અન્યને વાસિત નથી કરતો. જો અભિન્ન કહો તો તેની સંક્રાતિ જ બનશે નહિ, જેમકે વાસકના પોતાના રૂપની નથી બનતી, અને વાસ્યમાં સંક્રાંતિ માનો તો દ્રવ્યાંશની સંસિદ્ધિ થઈ જાય. સંક્રાન્તિ વિના પણ વાસિત કરી શકે છે એમ કહેતાં તો અતિપ્રસંગ જ આવે છે, ને કલ્પિત કહેવાથી પણ કાંઈ લાભ થતો નથી.”
(પાના નં. ૯૫) આટલું કહેવાથી, “જે સંતાનને વિષે કર્મવાસનાનું આધાન હોય, તે જ સંતાનને વિષે, કપાસમાં રક્તતાની પેઠે ફલ જણાય છે.” એમ જે કહ્યું હતું તે પણ પરાસ્ત જાણવું.
વળી જે કહ્યું હતુ કે એમ ન હોય તો આત્મા વ્યવસ્થિત થતાં, વેદનાના અભાવે, અને થાય તો પણ વિકારાન્તરનો
For Private and Personal Use Only