Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 208
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧૮૧ તેવું, મુર્ખજનોને ભ્રમ પેદા કરે તેવું, જે કહ્યું કે ક્ષણ ભેદ હોવા છતા પણ, ઉપાદાનોપાદેય ભાવે કરીને એક સંતતિને વિષે સામર્થ્યનું આધાન કરનાર કર્મ ફલ ઉપજાવી શકે છે ઇત્યાદિ, તથા એમ જે કહ્યું કે જે કુશલાર્થે પ્રવૃત્તિ કરે છે તે યદ્યપિ તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે, પરંતુ તેનો વિનાશ થતાં પૂર્વે તે વિજ્ઞાન સંતતિને વિષે પોતાને અનુરૂપ એવા કાર્યને ઉપજાવી શકે તેવું સામર્થ્ય મૂકીને વિનષ્ટ થાય છે, ઈત્યાદિ, તે સર્વના સંબંધમાં અહીં કાંઈક વિશેષથી કહીએ છીએ. એ બધું કહેવું અયુક્ત છે, કેમકે સામર્થ્યધાન જ અસિદ્ધ છે. જીઓ, સામર્થ્ય એટલે શું ? ઉત્તર કાર્યભાવ તે સામર્થ્ય છે ? કે અન્ય કાર્ય ઉપજાવવાને સમર્થ એવો તદ્ગત શક્તિ વિશેષ છે ? કે વાસના છે ? જો એમ કહેશો કે ઉત્તર કાર્ય ભાવ તે જ એ સામર્થ્ય, તેનું આધાન કરીને નિરૂદ્ધ થાય છે, તો ક્ષણિકત્વનો વિરોધ આવશે (પાના નં. ૯૩) કેમકે અનુત્પન્ન કે નિરૂદ્ધ એવો તે સામાર્થાધાન કરવા સમર્થ નથી. ઉદયકાલે જ આધાન કરે છે એમ કહો તો ઉભયનો એક જ કાલે પ્રસંગ આવી જશે. ત્યારે, તગત એવો કાર્યાન્તર ઉપજાવનાર, શક્તિ વિશેષ જ સામર્થ્ય છે, તેનું આધાન કરીને નિરૂદ્ધ થાય છે તો પૂર્વોક્ત દોષ પ્રાપ્ત થશે. કેમકે તેનો કાર્યથી ભિન્ન અભ્યપગમ નથી, એટલે તે જે કાલે સિદ્ધ થાય છે તે જ કાલે તેનાથી ઉત્તર કાલે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220