________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭)
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
અનુમાનને જાણનારા કહે છે.
એમ છે એટલે ગ્રાહ્યાર્થનો અભાવ થતાં જ ગ્રાહક સંવેદનની ઉત્પત્તિ થાય,
(પાના નં. ૮૦) અને તેના અભાવે સંવેદનની ઉત્પત્તિ થવાથી સંવેદન શી રીતે તેને ગ્રહણ કરી શકે અને પદાર્થ શી રીતે તેનાથી ગ્રહણ થઈ શકે? અર્થાત્ સંવેદન અગ્રાહક થશે,અને પદાર્થ અગ્રાહ્ય થશે, એ વાત યુક્તિરૂપી પ્રદીપ હાથમાં લઈ પોતાના મતના ઉપર આગ્રહ કરવા રૂપી તિમિરને દૂર ખસેડીને વિચારી જુઓ.
ગ્રાહ્યાર્થ (સંવેદનને) આકાર આપી શકે એ પણ અનિશ્ચિત જ રહ્યું. તુરત જ થઈ ગયેલા એવા વિષયનો આકાર સંવેદન ધરે છે એમ પણ નિશ્ચય કરી શકાય એવું નથી, કારણ કે તેનું ગ્રહણ નથી. ગ્રહણ નથી કેમકે સંવેદનકાળે પદાર્થ નથી. પદાર્થ ન હોવાથી આ સંવેદન તેના આકારવાળુ છે તેના આકારવિનાનુ નથી એવો નિશ્ચય કરવો અશક્ય છે.
સંવેદ્યમાન એવા સંવેદનથી જ તદાકારતાનું જ્ઞાન થાય છે; જુઓ, જે જેનું ગ્રાહક નથી હોતું તે તેનો આકાર લેતું નથી, જેમકે પીતરંગનું અગ્રાહક એવું નીલ સંવેદન. તેનુ ગ્રાહક આ સંવેદન છે, તો શી રીતે તેના જ્ઞાનની અનુપપત્તિ થાય?
For Private and Personal Use Only