________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૫૧
એ વિશેષણ આ પ્રકારે તો નિરૂપયોગી થઈ જશે.
એમ કહો કે એ નિર્વિકલ્પ અનુભવ વિજાતીય ભેદ ગ્રહણ કરવામાં સમર્થ છે.
(પાના નં. પ૬) અને સજાતીય ભેદ ગ્રહણ કરવામાં સમર્થ નથી; સારી રીતે થયેલા અનુભવથી પડેલા સંસ્કારનો ઉદય થવાનો બલવાન સંભવ હોવાથી કેવલ વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પને જ ઉપજાવી શકે, સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પને નહિ. તો આ કહેવું પણ મહા અંધકારનું જ સામર્થ્ય બતાવે છે. કેમકે આ અનુભવ જે સ્વભાવથી વિજાતીય ભેદનું ગ્રહણ કરવા સમર્થ છે, તે જ સ્વભાવે સજાતીય ભેદનું ગ્રહણ કરવા અસમર્થ છે કે બીજા કોઈ સ્વભાવે ? એથી શું ? જો તે જ સ્વભાવે હોય તો વિજાતીય ભેદના ગ્રહણની પેઠે તેનાથી જ સજાતીય ભેદનું પણ ગ્રહણ યથાર્થ રીતે થાય, અથવા એથી ઉલટું પણ થાય, ગમે તેમ થાય તો પણ સમર્થ અને અસમર્થ બજેમાં અવિશેષ વાળુ થાય, કેમકે તેના અનુભવથી પડેલા સંસ્કારનો ઉદય થવાનો જે બલવાન પ્રસંગ તે ઉભયમાં સમાન થઈ રહેશે, અને વિજાતીય ભેદ ગ્રાહક વિકલ્પની પેઠે સજાતીય ભેદ ગ્રાહક વિકલ્પ પણ થવા જશે. અથવા એથી ઉલટું થવા જશે. કેમકે એના અનુભવથી પડેલા સંસ્કાર રૂપ જે વિકલ્પનું કારણ, તે ઉભયત્ર સમાન છે.
For Private and Personal Use Only