________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
તો એવું કહેવું અયુક્ત છે, કેમકે અન્યત્વ હોવા છતા પણ સમાન પરિણામ અને વિશેષ પરિણામ એ ઉભય ભિન્ન સ્વભાવવાળા છે. જુઓ-સમાન બુદ્ધિ અને શબ્દમાં કારણ એવા સ્વભાવવાળો તે સમાન પરિણામ,
(પાના નં. ૬૭) અને વિશિષ્ટ બુદ્ધિ અને શબ્દ ઉપજાવનાર સ્વભાવવાળો તે વિશેષ પરિણામ, એટલે વિષાદિ છે તે યથોક્ત સંવેદના અને અભિધાન તેનાથી સંવેદ્ય અને અભિધેય છે એવી પ્રતીતિ છે, કેમકે તેમ ન હોય તો યથોક્ત સંવેદનાદિ બને જ નહિ. માટે યદ્યપિ ઉભયે (વિષ અને મોદક) ઉભય સામાન્યવિશેષ રૂપ છે તથાપિ વિષાર્થી વિષ પ્રતિ જ પ્રવર્તે છે. કેમકે વિષના વિશેષ પરિણામનો વિષના સમાન પરિણામ સાથે નિયત સંબંધ છે. પણ મોદક પ્રતિ તેની પ્રવૃત્તિ નથી થતી કેમકે મોદકના સમાન પરિણામની સાથે વિશ્વના વિશેષ પરિણામનો નિયત સંબંધ નથી. આમ છે એટલે પ્રવૃત્તિ નિયમનો ઉચ્છેદ છે એવું જે કહ્યું તે એક કહેવાનો પ્રયાસ માત્ર કર્યા બરાબર જ
છે.
વિષ ખાવાથી મોદક પણ ખવાશે એ આદિ જે કહ્યું હતું તે પણ આટલાથી પરાસ્ત જાણવું, કેમકે એ પણ ઉક્ત પ્રવૃત્તિ નિયમોચ્છેદના જેવું જ છે.
વળી જે પ્રતિપક્ષીએ કહ્યું કે વસ્તુ માત્ર ઉભયરૂપ
For Private and Personal Use Only