Book Title: Anekantvad Pravesh
Author(s): Haribhadrasuri, Hemchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 186
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ ૧પ૯ છે, કેમકે અસમાન પરિણામ સમાન પરિણામ વિના હોઈ શક્તો જ નથી. આ બેનો વિરોધ છે, એમ પણ ન ધારવું, કેમકે ઉભયે સ્વસંવેદનથી સિદ્ધ છે. તે સંવેદન ઉભયરૂપ છે. અને તે ઉભયરૂપતા વ્યવસ્થાપિત કરેલી છે. વળી જે કહયું હતુ કે વસ્તુને સામાન્ય વિશેષ ઉભયરૂપવાળી માનવાથી (પાના નં. ૬ ૬) પ્રસિદ્ધ એવા સકલ લોક વ્યવહારના નિયમનો ઉચ્છેદ થશે વગેરે તે પણ જિનમતના અજ્ઞાનનું જ માત્ર સૂચક છે, પોતાના ઈષ્ટાર્થને સિદ્ધ કરનારુ નથી. જેનો કાંઈ એમ કહેતા નથી કે વિષ, લાડુ ઇત્યાદિ ભિન્ન ભિન્ન પદાર્થો થી અનર્થાતરરૂપ એક સ્વભાવવાળુ, એક, અનવયવ, સામાન્ય છે, એટલે તમે કહો છો કે વિષ વિષ નથી, પણ મોદકાદિ પણ છે; કેમકે તેનાથી અભિન્ન એવું જે સામાન્ય તેનાથી તે અભિન્ન છે. એ સર્વ નિરર્થક છે. ત્યારે જૈનો શું કહે છે? તો કહીશું કે સમાન પરિણામને જ સામાન્ય કહીએ છીએ. સમાન પરિણામ ભેદ વિના બનતો નથી, એટલે જે વિષથી અભિન્ન છે તે જ મોદકાદિથી અભિન્ન નથી, કેમકે સર્વથા એકત્વ હોય તો સમાનપણ ન હોઈ શકે. એમ કહો કે સમાન પરિણામ પણ વિશેષે વિશેષે અન્ય છે એટલે અસમાન પરિણામની પેઠે તેના ભાવની જ અનુપપત્તિ થશે, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220