________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
એ ગ્રંથને લઈ જે શંકા કરી હતી કે, પર્યાયથી ભિન્ન દ્રવ્ય જ અસિદ્ધ છે વગેરે, તે પણ પરાસ્ત જાણવી, કેમકે કથંચિત્ વ્યતિરેક સિદ્ધ છે. કહ્યું છે કે “દ્રવ્ય અને પર્યાયનો ભેદાભેદ પ્રમાણથી સિદ્ધ છે, કેમકે સંવેદન માત્ર અન્વય અને વ્યતિરેક ઉભયરૂપ છે. સ્વસંવેદન સિદ્ધ એવી વાતમાં જે વિરોધ ઉપજાવવો તે માણસની વ્યસનિતા કે બુદ્ધિની જડતા માત્રને જ સૂચવે છે.” વગેરે
For Private and Personal Use Only
૧૪૭
(પાના નં. ૫૧) વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. આ રીતે નિત્યત્વાનિત્યત્વવાદ પૂર્ણ થયો.
જે કહ્યું હતુ કે આનાથી સામાન્ય વિશેષ રૂપ પદાર્થ માન્યો છે, તે પણ પરાસ્ત જાણવું વગેરે તે પણ અયુક્ત છે, કેમકે વસ્તુ સામાન્ય વિશેષ રૂપ છે એવું અનુભવથી સિદ્ધ થાય છે. જીઓ, ઘટાદિને વિષે ઘટ, ઘટ એવી સામાન્યાકાર બુદ્ધિ ઉપજે છે, અને માટીનો, તાંબાનો, કે રૂપાનો એવી વિશેષ આકારવાળી બુદ્ધિ થાય છે અથવા પટાદિરૂપ એવી બુદ્ધિ ઉપજતી નથી. વળી વસ્તુનો સદ્ભાવ વસ્તુના સદ્ભાવથી નિશ્ચિત થતો નથી. કેમકે એમ તો પદાર્થ માત્ર સદ્ભાવે જ છે. તેથી પ્રાણિમાત્રને સર્વજ્ઞત્વનો પ્રસંગ આવી જાય. ત્યા૨ે શું ? વસ્તુના જ્ઞાનના સદ્ભાવથી નિશ્ચય થાય છે, તે જ્ઞાન તો સામાન્ય-વિશેષાકાર જ ઉપજે છે. આમ અનુભવથી જ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે એવું સિદ્ધ