________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
થાય છે. આ અનુભવ ભ્રાંતિ માત્ર છે એમ કહેવાય તેમ નથી, કેમકે ઘટાદિ સમીપમાં હોતે છતે સમર્થ એવાં ઘટથી અન્ય કારણો જેમની પાસે છે એવા બધા પ્રમાતાઓને સમાનરૂપે આ અનુભવ થાય છે.
(પાના નં. પ૨) ઘટ ઘટ એવો જે વિકલ્પ થાય છે તે તદ્રુપથી વ્યાવૃત્ત જે વસ્તુ તેના રૂપથી ઉપજે છે. સંકેત-કૃત વાસનાથી ઉત્થાપિત હોવા છતા પણ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરી શકતો નથી. જે વસ્તુગ્રાહી વિકલ્પ છે, તે તો સજાતીય તેમ અસજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ સ્વલક્ષણ વિષય જ છે, અને નિર્વિકલ્પ હોય છે, તથા તેથી જ સામાન્યવિશેષાકારવાળો હોતો નથી. માટે “અનુભવ સિદ્ધ છે', એવું જે કહ્યું તે અયુક્ત છે.
તમારી વાત બરાબર નથી. નિર્વિકલ્પ અનુભવ પણ તાત્ત્વિક રીતે જોતાં તમે કહો છો તેવા પ્રકારનો નથી પણ સામાન્યવિશેષાકારવાળો છે, ગૃહીતગ્રાહી એવું વિકલ્પજ્ઞાન પ્રમાણ મનાતું નથી, કેમકે મનાય તો ગૃહીતનું ગ્રહણ થવાપણું જ રહે નહીં. તેમ જે એક જ છે તે આકારભેદે કરીને ભાસે નહિ. અને હેતુના અયોગને લઈને પરપક્ષને વિષે વિકલ્પાભાવનું પ્રતિપાદન પૂર્વે કરેલ છે.
(પાના નં. પ૩) વળી સજાતીય અને અસજાતીયથી વ્યાવૃત્ત વસ્તુ સ્વલક્ષણથી જ નિર્વિકલ્પાનુભવ ઉભવતો
For Private and Personal Use Only