________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ
(પાના નં. ૧) સર્વરાગને સારી રીતે જીતનારા, સર્વજ્ઞ, ઈદ્રોએ જેમની પૂજા કરેલી એવા, સભૂત વસ્તુને કહેનારા, મોક્ષગતિના નાથ, શ્રી વીરજિન વિજયી છે.
આ જગતને વિષે કેટલાએક, અનાદિ કર્મવાસનાથી થતા મહામોહે આકુલ થયેલાં ચિત્તવાળા હોઈ, યથાવસ્થિત જે “સદસત્” “નિત્યાનિત્ય' ઇત્યાદિ “અનેક રૂપ' વસ્તુને અનુભવવા છતા પણ તેવો (તેના સ્વરૂપનો) સ્વીકાર કરતા નથી; અને ઉલટા વિવાદ કરે છે કે એકની એક ઘટાદિ વસ્તુ સતુ તેમ “અસ” ઉભય શી રીતે હોઈ શકે? તે પોતાની શંકાને આ પ્રકારે વિસ્તારે છે. સત્ત્વ છે તે અસત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત થાય છે અને અસત્ત્વ પણ સત્ત્વનો પરિહાર કરીને વ્યવસ્થિત થાય છે. કેમ કે જો એમ ન હોય તો તેમની વચ્ચે કશો ભેદ રહે નહિ; માટે તે (ઘટાદ) જો સત્ હોય તો અસત્ કેમ થાય? અસતુ હોય તો સતુ કેમ થાય? કેમકે સતુ અને અસતુનો એકત્ર સમાવેશ અતિ વિરુદ્ધ છે. કહ્યું પણ છે કે “સત્ અને અસતુ પરસ્પરથી વિરૂદ્ધ છે માટે સક્સકૂપ એક વસ્તુ હોવી એ વાત યોગ્ય નથી.”
(પાના નં. ૨) વળી સતૂપ વસ્તુ સ્વીકારનારે સત્ત્વ અને અસત્ત્વ બનેને વસ્તુધર્મરૂપે માનવા પડશે, તો તેમાં પણ
For Private and Personal Use Only