________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૪૩
નથી. યોગી પ્રત્યય બાધક છે એમ કહો તો તે કહેલું પણ યુકત નથી, કેમકે તેનું પ્રમાણ નથી, કહ્યું છે કે “યોગી ક્ષણિકને જાણે છે અને નિત્યને નથી જાણતા એ કેવી પ્રમા કહેવાય ? ઉપદેશ તો શિષ્યને અનુકૂળ હોય તે રીતે પણ પ્રવર્તે છે, વગેરે.
(પાના નં. ૪૬) માટે અન્વય સહિત વ્યતિરેક અને વ્યતિરેક સહિત અન્વય એવો જ વસ્તુનો સ્વભાવ છે. કહ્યું છે કે “ભેદ છે માટે અન્વય નથી, અન્વય છે માટે ભેદ નથી, એમ મૃત્તિકા અને ભેદ ઉભય સંબંધ વૃત્તિ જે જાત્યંતર તે ઘટ કહેવાય.” વગેરે. માટે તે નિત્ય છે તેથી જ અનિત્ય છે, કેમકે દ્રવ્ય રૂપે નિત્ય છે અને પર્યાયો તેના પેટામાં સમાય છે. એમ જ તે અનિત્ય છે તેથી જ નિત્ય છે, કેમકે પર્યાય રૂપે અનિત્ય છે, અને દ્રવ્ય રૂપનો પણ તેમાં જ સમાવેશ છે; આમ વસ્તુનું ઉભય રૂપવ અનુભવ સિદ્ધ છે. એ ઉભયે એકાંત ભિન્ન તો હોઈ શકતા જ નથી; કહ્યું છે કે “દ્રવ્ય પર્યાયથી રહિત, કે પર્યાય દ્રવ્યથી રહિત,
ક્યાં, ક્યારે, કોણે, કયા રૂપે, કયા પ્રમાણથી જોયા?” વગેરે.
(પાના નં. ૪૭) એ ઠીક છે, પણ પર્યાયની નિવૃત્તિ થતાં દ્રવ્યની પણ નિવૃત્તિ થાય છે કે નહીં? એથી શી હરકત છે ? હરકત એ છે કે જો દ્રવ્યની નિવૃત્તિ થાય તો તે
For Private and Personal Use Only