________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
અનિત્ય ઠર્યું, કેમકે તે પર્યાયના સ્વરૂપની પેઠે નિવૃત્તિવાળું બન્યું. જો નિવૃત્તિ નથી થતી એમ કહો તો દ્રવ્ય અને પર્યાયનો ભેદ થઈ જાય; જાઓ-પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે કેમકે પર્યાયની નિવૃત્તિ થતાં પણ દ્રવ્યની નિવૃત્તિ થતી નથી એટલે ઊંટથી જેમ ઘોડો ભિન્ન છે તેમ એ ભિન્ન છે.
આ પ્રકારે કહેવું પણ અયુક્ત છે, કેમકે કથંચિત્ નિવૃત્તિનો અમે સ્વીકાર કરીએ છીએ અને તે જ અનુભવ સિદ્ધ છે. જુઓ-ઘટ પર્યાયની નિવૃત્તિ થતાં કપાલ કાલે પણ, કપાલ બુદ્ધિથી એ કૃતિકા તો અનુભવાય છે જ, કેમકે મૃત્તિકાની જો એકાંત નિવૃત્તિ જ થતી હોય તો ઊધ્વદિ પર્યાયની પેઠે તેનો અનુભવ ન થાય. ઊધ્વદિ (આકારની) નિવૃત્તિથી જ ભેદની સિદ્ધિ થઈ એમ કહો તો તેમ પણ નથી, કેમકે ઊધ્વદિ થકી પણ મૃત્તિકાનો સર્વથા ભેદ છે એમ નથી
(પાના નં. ૪૮) તેમજ કપાલની મૃત્તિકા ઘટની ત્તિકા કરતાં સર્વથા ભિન્ન નથી, એમ હોય તો તે મૃત્તિકા અમૃત્તિકા જ થઈ જાય. જેમ પાણી મૃત્તિકા નથી; કેમકે કપાલની મૃત્તિકાથી અત્યંત ભિન્ન છે, તેમ આ મૃત્તિકા અમૃત્તિકા થઈ જાય કેમકે પાણી કરતા તેમાં કોઈ વિશેષ નથી.
જો એમ કહો કે પરંતુ જેનો સ્વભાવ મૃત્તિકા નથી
For Private and Personal Use Only