________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૦૭
અવિશિષ્ટ એવા અભાવમાંથી કોઈક જ વસ્તુનો ભાવ થાય છે, બધાનો નહી એમ પણ કહેવાય નહિ, કેમકે એમ કહેવાને સિદ્ધ કરનાર હેતુ નથી. આમ છે, માટે સકૂપ જે વસ્તુ તે કેવલ શ્રદ્ધાગમ્ય જ છે, કહ્યું પણ છે કે “પ્રત્યક્ષથી જાણવા યોગ્ય નથી, કાર્યથી પણ જણાતુ નથી, પણ જે એક વસ્તુ ઉભયાત્મક છે તે કેવલ શ્રદ્ધગમ્ય છે.” અહીં પહેલો પૂર્વપક્ષ પૂર્ણ થયો.
આનાથી નિત્યાનિત્ય સ્વભાવ પણ અસિદ્ધ ઠર્યો જાણવો, કેમકે સ્પષ્ટ રીતે તેનો વિરોધ છે. તે આ પ્રમાણેઅપ્રશ્રુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવ, તે નિત્ય કહેવાય છે.
(પાના નં. ૬) અને સ્વભાવથી જ એક ક્ષણઅવસ્થિત રહેવું એ જેનો ધર્મ છે તે અનિત્ય કહેવાય છે. ત્યારે વસ્તુ જો નિત્ય હોય તો અનિત્ય શી રીતે કહેવાય? અને વસ્તુ જો અનિત્ય હોય તો નિત્ય શી રીતે કહેવાય?
અહીં કદાચ શંકા થાય કે- દ્રવ્યને કૂટસ્થ નિત્યરૂપે અમે સ્વીકારતા નથી, પણ પરિણામી નિત્ય સ્વીકારીએ છીએ; પૂર્વ-ઉત્તર ક્ષણોમાં અત્યંત ભેદથી યુક્ત બધી ક્ષણોમાં એક દ્રવ્યની અનુવૃત્તિ વડે નિયતા માનીએ છીએ. દ્રવ્યનો પર્યાયની પેઠે ઉચ્છેદ માનતા નથી, કેમકે દ્રવ્યરુપે
For Private and Personal Use Only