________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ
૧૩૭
હવે એમ કહો કે દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ તે પરિકલ્પિત હોવાથી અન્યાનન્યત્વ રૂપે કલ્પવી ન જોઈએ, તો કલ્પેલી હોવાથી અસત્ છે એટલે દ્વિતીયાદિક્ષણે પણ સ્થિતિ જ થઈ.
એમ કહો કે પ્રથમ ક્ષણ સ્થિતિથી ભિન્ન એવી જે દ્વિતીયાદિક્ષણ અસ્થિતિ તે પરિકલ્પિત છે એટલે પ્રથમક્ષણસ્થિતિ એ જ દ્વિતીયક્ષણઅસ્થિતિ છે. તો પણ પ્રથમ ક્ષણ સ્થિતિ તે જ દ્વિતીયાદિક્ષણ અસ્થિતિ થશે. અને તેમાં આગળ કહેલા દોષ પ્રાપ્ત થશે.
(પાના નં. ૩૯) ત્યારે એમ કહો કે ક્ષણ સ્થિતિ ધર્મવાળી જે વસ્તુ તે જ દ્વિતીયાદિક્ષણ અસ્થિતિ, તો તેમ પણ નથી, કેમકે તે વસ્તુ જ ત્યારે નથી, જુઓ-ક્ષણ સ્થિતિ ધર્મવાળાને ક્ષણ સ્થિતિ સ્વભાવ કહેવાય છે એ આદિ જે વિવાદ આગળ થઈ ગયો તે જ પુનઃ પ્રાપ્ત થાય છે.
પાછું એમ કહેવામાં આવે કે દ્વિતીયાદિક્ષણે અસ્થિતિ હોતે છતે પ્રથમ ક્ષણ સ્થિતિ બને નહિ, અને બને તો તેની (દ્વિતીયક્ષણ અસ્થિતિની) અનુપપત્તિ થાય, પ્રતિયોગી (વિરોધી) નો અભાવ હોવાથી અન્યાનન્યત્વની કલ્પના સંભવતી નથી તેથી તેનાથી ઉપજતા દોષો નથી આવતા. જુઓ-દ્વિતીયાદિક્ષણે તે વસ્તુ જ નથી.
For Private and Personal Use Only