________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
અનેકાન્તવાદ પ્રવેશ ભાવાનુવાદ
એમ હોય તો પણ તે પોતે અસ્થિત હોવાથી, સ્થિતિની પેઠે તેની અસ્થિતિ પણ તેનો ધર્મ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે. અસ્થિતિને તેનો ધર્મ જો નહિ માનો તો સદા સ્થિતિ જ રહેશે. જાઓ-દ્વિતીયક્ષણમાં વસ્તુની જ સ્થિતિ છે. તેથી સ્વહેતુ થકી જ તે સ્થિતિ ધર્મવાળું અને અસ્થિતિ ધર્મવાળું છે એમ માનવું જોઈશે.
(પાના નં. ૪૦) અક્રમવાળા કારણથી ક્રમયુક્ત ધર્મવાળા કાર્યની ઉત્પત્તિ ઘટતી નથી એટલે જે કાલે સ્થિતિ તે જ કાલે અસ્થિતિ થવા જશે. તો ક્ષણ સ્થિતિ ધર્મ તો ક્યાં રહેશે ! સ્થિતિ થાય તો પણ ક્ષણ સ્થિતિ હોવાથી પ્રથમક્ષણસ્થિતિ સાથે વિરોધ ન હોવાથી પ્રથમણની જેમ સદા સ્થિતિનો પ્રસંગ આવશે.
વળી નિરંશ અને તેવા સ્વભાવવાળા હેતુથી તેવા સ્વભાવવાળું કાર્ય થાય એમ કહેવું વિદ્વાનોના સમાજમાં શોભે નહિ કેમકે યુક્તિહીન છે, કેમકે કારણ અને કાર્ય બન્નેમાં નિત્યસ્વભાવની પણ કલ્પના કરી શકાય છે.
(પાના નં. ૪૧) સ્વભાવાંતર કલ્પના અશક્ય છે એમ પણ કહેવાય, કેમકે અર્થક્રિયાનો અભાવ થવાનો પ્રસંગ આવે છે,
પણ આ સારૂં નથી; ક્ષણસ્થિતિધર્મવાળી વસ્તુને
For Private and Personal Use Only