________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૪O
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
વસ્તુની સિધ્ધિ જ ક્યાં રહી? કથંચિત્ નાનાત્વ કહો તો જે કહેવાઈ ગયા છે તે જ દોષ પ્રાપ્ત થાય.
એમ પણ કહી શકાય કે આ જે ધર્મ-ધર્મી ભાવ છે તે પરિકલ્પિત છે. વાસ્તવિક નથી. એમ કહેતાં પણ ધર્મ અને ધર્મી પરિકલ્પિત હોવાથી અસત્ થઈ રહ્યા, તેથી શુન્યતાનો પ્રસંગ આવ્યો એટલે ક્ષણસ્થિતિધર્મકત્વ ક્યાં રહ્યું?
અન્યની વ્યાવૃત્તિ કરતાં પ્રાપ્ત થાય તે ધર્મ જ પરિકલ્પિત છે, ધર્મી નહિ, એમ કહેશો, તો પણ સ્થિતિ અસ્થિતિ આદિ રૂપ જે પરિકલ્પિત ધર્મ તેથી ભિન્ન એવા ધર્મીનું શું સ્વરૂપ છે તે કહો.
ક્ષણસ્થિતિધર્મકત્વ જ સ્વરૂપ છે એમ કહો તો તે ન બને, કેમકે તે વસ્તુ જ ત્યારે નથી, એમ આગળ કહેલો તેનો તે જ વાદક્રમ પુનઃ પ્રાપ્ત થવા જાય છે, અર્થાત્ બહુ વિસ્તાર કરવાનું પ્રયોજન રહેતું નથી.
આમ અહીં પણ વિજ્ઞાનાદિ કાર્યની ઉત્પત્તિ થવાનો અસંભવ થયો. જે નિત્યાનિત્ય સ્વભાવવાળી વસ્તુ તે કથંચિત્ સ્થિતિરૂપ છે, અનેક સ્વભાવવાળું છે,
(પાના નં. ૪૩) એટલે વિજ્ઞાનાદિક પેદા કરે છે અને તેથી તેનું જ્ઞાન થાય છે. વસ્તુનું જે નિત્યાનિત્યત્વ છે
For Private and Personal Use Only