________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
અનેકાંતવાદનો જ સ્વીકાર થયો.
જો ત્યારે હવે અનન્યત્વ કહો તો તે પણ સર્વથા કે કથંચિત્ તે કહો. જો સર્વથા કહો તો જે પ્રથમ ક્ષણે સ્થિતિ તે જ દ્વિતીયાદિક્ષણે અસ્થિતિ એમ થયું. સ્થિતિ ભાવરૂપ છે એટલે તેથી દ્વિતીયાદિક્ષણે પણ સ્થિતિ જ છે એમ કહેવું પ્રાપ્ત થયું. અથવા દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ તે નિરુપાખ્ય હોવાથી તે જ પ્રથમક્ષણસ્થિતિરૂપ થઈ તેથી પ્રથમ ક્ષણે પણ (અસ્થિતિરૂ૫) અભાવનો પ્રસંગ આવશે.
(પાના નં. ૩૮) કથંચિત્ અનન્યત્વ કહો તો તો પૂર્વોક્ત દોષ (એટલે અનેકાંતસ્વીકાર) પ્રાપ્ત થશે.
- દ્વિતીયાદિક્ષણે જે અસ્થિતિ તે અભાવરૂપ છે માટે, પ્રથમ ક્ષણ સ્થિતિને લઈ, અન્યાનન્યત્વ કલ્પના પણ યુક્તિવાળી થશે નહિ.
એમ પણ બને જો ભાવ પોતે અભાવથી ભેદભેદ ત્યજીને વર્તતો હોય.
ત્યારે પ્રથમક્ષણથી ઉત્તરકાળ ભાવી જે પદાર્થાતર તેની સ્થિતિ તે જ વિવક્ષિત એવા દ્વિતીયાદિક્ષણની અસ્થિતિ છે.
તો પછી સુતરાં અન્યાનન્યત્વ કલ્પનાનો પ્રસંગ આવે. અને એમ થતાં જ પૂર્વોક્ત દોષ પુનઃ પ્રાપ્ત થાય.
For Private and Personal Use Only