________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૪
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
તે પણ એક મનોરથ માત્ર જ છે કેમકે વિકલ્પને સહન કરી શકે એમ નથી. પોતાને ઇષ્ટ એવા સહકારીની સાહાયથી જ જયારે કાર્ય થાય છે, ત્યારે વસ્તુનો કંઈ વિશેષ નહી કરનારા એવા સહકારીની અપેક્ષારૂપ સ્વભાવ તે રહે છે કે નહિ ? તે કહો. જો નથી રહેતો એમ કહો તો અનિત્યત્વ પ્રસંગ આવે છે, કેમકે સ્વભાવની વ્યાવૃત્તિ થતાં જે સ્વભાવવાન તે સ્વભાવથી અભિન્ન હોવાને લીધે સ્વભાવની પેઠે જ નિવૃત્ત થઈ જશે. જો રહે છે એમ કહો તો કાર્ય થવાનો જ સંભવ નહિ રહે, કેમકે વસ્તુનો સ્વભાવ નિવૃત્ત થવાનો નથી એટલે નિત્ય જ રહેવાનો છે, જીઓ-તેનો કાર્ય ન ઉપજવાની સ્થિતિમાં જે સ્વભાવ છે, તેનો તે જ સ્વભાવ, કાર્ય ઉપજવાની સ્થિતિમાં પણ રહેવાનો છે. તો પછી તે કાર્ય ઉપજાવી જ કેમ શકે ? અથવા સર્વદા ઉપજાવ્યાં જ કરે એમ એકાંતનિત્યપક્ષનો સ્વીકાર કરતા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પાના નં. ૩૬) વસ્તુ પોતે વિજ્ઞાનાદિ કાર્ય ઉપજાવી જ શકતી નથી એટલે તેનું જ્ઞાન થવાનો જ સંભવ નથી.
જો પ્રકૃતિ થકી જ એકક્ષણસ્થિતિધર્મવાળું એકાંત અનિત્ય એવું વસ્તુસ્વરૂપ સ્વીકારવામાં આવે, તો પણ વસ્તુ વિજ્ઞાનાદિ કાર્ય ઉપજાવી જ શકતી નથી, એટલે તેનું જ્ઞાન થવાનો જ સંભવ નથી. જે સર્વથા એકક્ષણ જેટલી જ
For Private and Personal Use Only