________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
છે, માટે તેમના ખંડનનો આ પ્રકાર છે
હવે આ બધી શંકાઓનું ખંડન કરવાનો આરંભ કરીએ છીએ. જે કહ્યું કે “એકની એક ઘટાદિ વસ્તુ સત્ અને અસત્ ઉભય કેમ થઈ શકે ?” તે તો ગોવાળીયા, સ્ત્રીઓ આદિ સર્વને સુપ્રતીત હોઈ શંકા કરવા જેવું પણ નથી, કેમકે પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે તે વસ્તુ સત્ છે. પારકાંના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે અસત્ છે; અને એમ ન હોય તો વસ્તુના અભાવનો પ્રસંગ આવે છે. જાઓ, જેમ ઘટાદિ વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે સત્ છે તેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ તે સત્ થઈ છે. તેથી તે ઘટાદિ વસ્તુ જ ન રહે, કેમ કે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ સત્ છે, પટાદિના સ્વરૂપની જેમ.
(પાના નં. ૧૪) એમ જ જેમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવ રૂપે કરીને અસત્ છે તેમ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ અસતુ હોય તો વસ્તુ અવસ્તુ થઈ જાય; કેમકે પરદ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ રૂપે અસત્ હોઈ, સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ રૂપે પણ તે અસત્ થઈ જાય, ગધેડાના સિંગડાની જેમ. આ પ્રકારે ઉભયથા એકાંતરૂપ માનતાં વસ્તુના અભાવનો પ્રસંગ આવી જાય છે, તેથી તેને ઉભયરૂપ માનવી જ ઉચિત છે. તેની યુક્તિ આ પ્રમાણે-ઘટ વસ્તુ દ્રવ્યથી પાર્થિવસ્વરૂપે સત્ છે, જલવાદિરૂપે સત્ નથી; તેમજ ક્ષેત્રથી, અહીંની હોવા રૂપે સત્ છે પાટલિપુત્રકાદિવરૂપે સત્ નથી, તેમજ કાલથી ઘટકાલસ્વરૂપે સત્ છે, મૃત્પિડકપાલાદિકાલસ્વરૂપે સત્ નથી;
For Private and Personal Use Only