________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧ ૨૭
અમુક ધર્મ આશ્રિત છે એટલે કથંચિત્ ભેદ છે ઇત્યાદિ જે કહેવાઈ ગયું છે તેનાથી પરાસ્ત જાણવું, કેમકે અન્ય પ્રકારે ભેદભેદની સિદ્ધિ અશક્ય છે.
વળી જે કહ્યુ છે કે વિષય માત્રની વ્યવસ્થા જ્ઞાનમાં નિવિષ્ટ છે, અને સદસકૂપ વસ્તુનું જ્ઞાન થતુ નથી, કેમકે એવા પરસ્પર વિરૂદ્ધ ઉભયરૂપવાળુ જ્ઞાન થવુ અશક્ય છે. આનો પણ પરિહાર, વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષથી જ અનુવૃત્તવ્યાવૃત્ત સ્વભાવવાળું છે, એમ બતાવવાથી થઈ ગયેલો છે, કેમકે ઉભયરૂપ સંવેદન થવામાં કોઈ બાધ આવતો નથી.
વળી જે કહ્યું કે કાર્યદ્વારે પણ વસ્તુ સદસકૂપ જણાતી નથી કેમકે ઉભયરૂપ કાર્ય ક્યાંય પણ ઉપલબ્ધ થતુ નથી, તે કહેવાનો પણ અવકાશ નથી, કેમકે વસ્તુસ્થિતિથી ઉભય પ્રકારની ઉપલબ્ધિ સિદ્ધ કરી છે.
તેમજ એ વસ્તુ કાર્ય કરવાને પ્રવર્તે ત્યારે કોઈક આકારે કાર્ય કરે, કોઈક આકારે ન કરે એવું નથી, કેમકે કરવું અને ન કરવું તે એકની એક વસ્તુને વિષે એક જ કાલે સંભવે જ નહિ,
(પાના નં. ૨૮) એવું જે કહ્યું છે તેમાં પણ સાર નથી, કેમકે વિરોધ જ સિદ્ધ થતો નથી. જુઓ -પર્યાયરૂપે વસ્તુ કાર્ય કરે છે, દ્રવ્ય રૂપે નથી કરતી, એટલે એકને જ
For Private and Personal Use Only