________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧ ૨૩
પ્રત્યક્ષથી જ વસ્તુ માત્ર અનુવૃત્ત અને વ્યાવૃત્ત સ્વભાવવાળી સમજાય છે; અને વિદ્વાનથી તે સ્ત્રી બાલાદિ પર્યતને જે અનુભવ થાય છે તે ખોટો કહી શકાવો અશક્ય છે. સામે રહેલા ઘટાદિને વિષે તદ્રુપ અને અતદ્રુપ એવો જ અનુભવ થાય છે, કેમકે એમ ન થતું હોય તો ઘટનો અભાવ થવાનો પ્રસંગ આવે.
કદાચ એવી શંકા થાય કે-પદાર્થનુભવ તો એક રૂપ જ છે, અને ઘટની પ્રતિછાયા રૂપે જે અનુભવ થાય છે તે ઘટાદિપ્રતિભાસથી ભિન્ન તરીકે કહેવાય છે. પદાર્થનાં પોતાનાં જ કાંઈ બે રૂપ નથી. કહ્યું પણ છે કે એકના ઉપલંભનો અનુભવ થવાથી અન્યનો ઉપલંભ થતો નથી, અને જો ઉપલંભ થાય તો તે કલ્પિત હોવો જોઈએ.
(પાના નં. ૨૪) એમ કહેવું પણ યુકત નથી. જે વિષે આગળ જવાબ બતાવાઈ ગયો છે. સ્વરૂપે સત્ત્વ તે જ પરરૂપે અસત્ત્વ છે એમ કહી સમાધાન કરાયું છે.
વળી, એકાંત પર્યાયનયમતને અનુસાર કલ્પના અયુક્ત છે.જુઓ કલ્પના છે તે વસ્તુ ઉત્પન્ન થયા પછી થાય છે કે તે પહેલા? અનુત્પન્ન હોય ત્યારે તો પદાર્થ જ નથી, ત્યાં કલ્પના બને નહિ. ત્યારે ઉત્પન્ન થાય ત્યારે બને ત્યાં વિકલ્પ કે પદાર્થ ગૃહીત થાય ત્યારે કલ્પના થાય કે અગૃહીત હોય ત્યારે પણ થાય ? અગૃહીત હોય ત્યારે થાય નહિ
For Private and Personal Use Only