________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧ ૨૧
કદાચિ અત્રે આ શંકા થશે કે સ્વરૂપથી અવ્યાવૃત્તિ તે જ પરરૂપથી વ્યાવૃત્તિ છે, પણ તે અયુક્ત છે, અને એનો ઉત્તર અપાઈ ગયો છે. આવી સ્થિતિ છે માટે પક્ષપાતને દૂર મૂકી ન્યાયને અનુસરનાર જનો એ યુક્તિયુક્ત એવી સદસકૂપ વસ્તુ અંગિકાર કરવી જોઈએ. કહ્યું પણ છે કે “સત્ત્વ અને અસત્ત્વ એ પરસ્પર વિરૂદ્ધ નથી, માટે ઉભયરૂપ એક વસ્તુ માનવી એ શું યોગ્ય નથી ?”
વળી જે એમ કહ્યું કે વસ્તુને સદસકૂપ માનતા સત્ત્વ તેમ અસત્ત્વને વસ્તુના ધર્મ તરીકે સ્વીકારવાની જરૂર પડશે, તો એ તો અમે માનીએ છીએ તેમાં શી હાનિ છે?
(પાના નં. ૨૨) વળી તમે જે કહ્યુ હતુ કે-તો અહીં પણ કહેવું જોઈએ કે ધર્મ ધર્મીનો ભેદ છે કે નહિ ? ઇત્યાદિ તેમાં પણ કહેવાનું છે કે ભેદ પક્ષ અને અભેદ પક્ષ ઉપજાવી જે દોષ બતાવ્યા છે તેનો સ્વીકાર ન કરવાથી જ તિરસ્કાર થઈ જવાથી અમને કોઈ ક્ષતિ નથી, ભેદભેદ પક્ષનો તો અમે સ્વીકાર કરીએ જ છીએ.
પ્રશ્ન-એમાં પણ જે આકારે ભેદ છે તે આકારે ભેદ છે, ઇત્યાદિ દૂષણ કહ્યાં છે.
જવાબ-હા, કહ્યા છે, પણ તે અયોગ્ય જ કહ્યાં છે, કેમકે જે અધિકૃત વિકલ્પ છે તેનો યથાર્થ અર્થ ન જાણવાથી કહ્યા છે. પરસ્પર વ્યાપ્તિ હોવાથી ભેદભેદપક્ષ એ અલગ
For Private and Personal Use Only