________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧૧૭
રક્તવાદિરૂપે પણ સત્ થઈ જાય, કેમકે રક્તવાદિરૂપે જે અસત્ત્વ છે તે શ્યામવરૂપે જે સત્ત્વ છે તેનાથી ભિન્ન નથી અથવા જેમ રક્તત્વાદિ રૂપે અસત્ છે તેમ શ્યામસ્વરૂપે પણ અસત્ થઈ જાય, કેમકે શ્યામવરૂપે જે સત્ત્વ છે તે રક્તત્વાદિરૂપે જે અસત્ત્વ છે તેનાથી ભિન્ન નથી. આ પ્રકારે ઈતરરૂપની આપત્તિ થવાથી વસ્તુ એ અવસ્તુ બની જવાનો પ્રસંગ આવશે.
અહીં જો બૌદ્ધ એમ કહે કે-આ પ્રકારે અનેકાંત પક્ષે ઉપર જે દૂષણ ઉપજાવી કાઢ્યું તેના ઉત્તરમાં કહેવાનું કે અમારા મતમાં જલાદિરૂપે જે અસત્ત્વ તે નિરૂપાખ્ય એવું કાંઈ નથી,
(પાના નં. ૧૭) કે જેને લઈને સન્ધાસત્ત્વને અભિન્ન કહી તે વિકલ્પના ઉપન્યાસ વડે વસ્તુનો અભાવ થઈ જવાની આપત્તિ બતાવી તમારૂં ન્યાયમાં પ્રવિણપણું બતાવવાનો આડંબર કર્યો. અમારે મતે તો પાર્થિવ સત્ત્વ તે જ વિશિષ્ટ એક સ્વભાવ હોઈ જલાદ્યસત્વ છે, એટલે ઉક્ત દોષોનો અભાવ હોવાથી, તમે જે વિકલ્પો કરવાનો પરિશ્રમ કર્યો તે મિથ્યા છે. આ પ્રકારે બાકીના વિકલ્પોને વિષે પણ સમજવું.”
તો અનેકાંતવાદી તેનો જવાબ આપે છે, “અહો ! શો અવધિ વિનાનો મોહ છે ! પોતાની વાણીમાં જ અનેકાન્તનું
For Private and Personal Use Only