________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
જલાદિ દ્રવ્યરૂપે જે અસત્ત્વ તે પાર્થિવ દ્રવ્યરૂપે જે સત્ત્વ તેના કરતાં ભિન્ન નથી.
(પાના નં. ૧૬) અથવા જેમ તે જલાદિ દ્રવ્યરૂપે અસત્ છે તેમ પાર્થિવાદિ દ્રવ્યરૂપે પણ અસત્ થઈ જશે. કેમકે જલરૂપે જે અસત્ત્વ છે તેનાથી પાર્થિવરૂપે જે સત્ત્વ છે તે ભિન્ન નથી. એ પ્રમાણે જો આ ક્ષેત્રરૂપે સત્ત્વ એ જ પાટલીપુત્રાદિરૂપે અસત્ત્વ હોય તો તે ઘડો જેમ અહીં સત્ છે તેમ પાટલીપુત્રાદિમાં પણ સત્ થઈ જશે, કેમકે પાટલીપુત્રાદિરૂપે જે અસત્ત્વ છે તે આ ક્ષેત્રરૂપે જે સત્ત્વ છે તેના કરતા ભિન્ન નથી. અથવા તે ઘડો જેમ પાટલીપુત્રમાં અસત્ છે તેમ અહીં પણ અસત્ થઈ જશે, કેમકે અહીંનું સત્ત્વ એ પાટલીપુત્રના અસત્ત્વથી ભિન્ન નથી. એ પ્રમાણે જો ઘટકાલરૂપે સત્ત્વ એ મૃત્પિડકપાલ કાલરૂપે અસત્ત્વ હોય તો તે ઘડો જેમ ઘટકાલે સત્ છે તેમ મૃપિંડકપાલકાલે પણ સતું થઈ જશે, કેમકે મૃત્પિડકપાલકાલરૂપે અસત્ત્વ છે તે ઘટકાલરુપે જે સત્ત્વ છે તેનાથી ભિન્ન નથી. અથવા જેમ ઘડો મૃત્પિડકપાલકાલે અસત્ છે તેમ ઘટકાલે પણ અસત્ જઈ જશે, કેમકે ઘટકાલરૂપે જે સત્ત્વ છે તે મૃસ્પિડકપાલકાલરૂપે જે અસત્ત્વ છે તેનાથી ભિન્ન નથી. એ પ્રમાણે જો શ્યામવરૂપે સત્ત્વ એ જ રક્તવાદિરૂપે અસત્ત્વ હોય તો તે ઘડો જેમ શ્યામવરૂપે સત્ છે તેમ
For Private and Personal Use Only