________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
વસ્તુ પ્રતિ કોઈની પ્રવૃત્તિ થતી નથી. માટે ઉભય રૂપવાળી એક વસ્તુ છે એ વાદનું અભિમાન તજી દો. કહ્યુ પણ છે કે “વિષાદિને ઇચ્છતા જનોને તેમના પ્રતિ પ્રવૃત્તિનો નિયમ રહેશે નહિ કેમ કે મોદકાદિથી અભિન્ન જે સામાન્ય તેનાથી તે વિષાદિ ભિન્ન નથી. જો ભિન્ન કહો તો ઉભયરૂપવાળી એક વસ્તુ છે એ વાદ જ ઘટે નહિ. તેમ ભેદાભેદ કલ્પના તો સ્વતઃ વિરૂદ્ધ હોઈ બાધિત છે. ત્યારે પદાર્થોમાં જે વિશેષ રૂપ છે તે પ્રવૃત્તિનું નિયામક છે એમ કહેશો તો તે ઠીક છે પણ એ રીતે તો તે વિશેષ જ વસ્તુ બની જશે.’
૧૧૧
અન્યએ પણ કહ્યુ છે કે, “વસ્તુ માત્ર જો ઉભયરૂપ છે તો તેના વિશેષનું નિરાકરણ થવાથી દહિં ખાઓ એમ કહેતાં કોઈ ઊંટ ભણી કેમ દોડતું નથી ? જુઓ-ઊંટ પણ દહિં થઈ શકે, ઉંટ જ ઉંટ નથી,
For Private and Personal Use Only
(પાના નં. ૧૧) બીજો પણ ઊંટ થઈ શકે, તથા દહિં પણ ઉંટ થઈ શકે છે, દહિં જ દહિં નથી, બીજું પણ દહિં થઈ શકે છે. તેથી આ પ્રમાણે આ બેમાંથી એકનું પણ તે સ્વરૂપ નથી અથવા સ્વનિયત એવા સ્વરુપનો અભાવ હોવાથી કોઈ વિશેષ નથી. આમ છે એટલે “દહિં ખાઓ’’ એમ કહેતા ઊંટને પણ ખાવો જોઈએ, કહ્યુ છે કે “ત્યારે
આ બે વચ્ચે કશો ભેદ છે કે જેને લઈને તેમનો ભેદ માની પ્રવૃત્તિ થાય છે ? એવો ભેદ હોય તો તે જ દહિં કહેવાય,