________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ
૧0૯
કેમ થાય ?
(પાના નં. ૮) વળી વસ્તુને સામાન્ય વિશેષ ઉભય રૂપ માનતાં તો સકલ લોક પ્રસિદ્ધ જે વ્યવહાર તેના નિયમ માત્રનો ઉચ્છેદ જ થઈ જાય. જુઓ-વિષ, મોદક, દૂધ, ઘોડો ઇત્યાદિ વ્યક્તિથી અભિન્ન નાના સ્વરૂપ એક એવું સામાન્ય છે; ત્યારે વિષ છે તે વિષ જ નથી, કેમકે મોદકાદિથી અભિન્ન, સામાન્યથી તે ભિન્ન નથી, તેમજ મોદક છે તે મોદક જ નથી, કેમકે વિષાદિથી અભિન્ન સામાન્યથી તે ભિન્ન નથી. અર્થાત્ વિષ અને મોદક બને ઉભયરૂપ છે, તેથી વિષાર્થી વિષ માટે પ્રવૃત્તિ કરે તેમ મોદક માટે પણ પ્રવૃત્તિ કરે, મોદકાર્થી એ મોદક માટે અને વિષ માટે પ્રવૃત્તિ કરે, પણ વ્યવહારમાં તો વિષાર્થી વિષ પ્રતિ જ પ્રવર્તે છે મોદક પ્રતિ નહિ, મોદકાર્થી મોદક પ્રતિ જ પ્રવર્તે છે વિષ પ્રતિ નહિ, તો એ નિયમનો તમારા સ્વીકાર પ્રમાણે તો કેવલ ભંગ થઈ જશે. અને વિષ ખાવાથી મોદકની પણ ગરજ સરશે. મોદક ખાવાથી વિષની પણ ગરજ સરશે. આમ થશે ત્યારે તો પ્રતિતિનો વિરોધ થઈ જશે. એ જ પ્રમાણે દૂધ પણ દૂધ જ નથી કેમકે ઘોડા વગેરે અનેક પદાર્થથી અભિન્ન સામાન્યથી તે ભિશ નથી, તેમજ ઘોડો પણ મારા ઘોડો નથી. કેમકે ક્ષીરાદિથી અભિન્ન સામાન્યથી તે ભિન્ન નથી.
(પાના નં. ૯) ત્યારે અત્રે પણ ક્ષીરાર્થી ક્ષીર પ્રતિ
For Private and Personal Use Only