________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
અનેકાન્તવાદપ્રવેશ ભાવાનુવાદ કહેવાનું છે કે ધર્મ અને ધર્મીનો ભેદ છે? કે અભેદ છે? કે ભેદાભેદ છે? જો ભેદ હોય તો સત્ત્વ અને અસત્ત્વનો ભેદ હોવાથી એક જ વસ્તુ સક્સકૂપ કયાંથી થશે? અભેદ હોય તો એક જ ધર્મીથી, તે ધર્મી સ્વરૂપની પેઠે, ધર્મ જે સત્ત્વ અને અસત્ત્વ અભિન્ન હોવાથી એક બની જશે, તેથી પણ એક સસલૂપ એમ શી રીતે થશે? અથવા સત્ત્વ અને અસત્ત્વથી અભિન્ન એવા ધર્મીનો ધર્મના સ્વરુપની જેમ ભેદ થશે. તો પણ એક વસ્તુ ઉભય રૂપ છે એ શી રીતે થવાનું? ત્યારે ભેદાભેદ કહો તો પણ જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ રહેવાનો, જે આકારે અભેદ તે આકારે અભેદ જ રહેવાનો.
(પાના નં. ૩) એટલે એમ પણ એક વસ્તુ ઉભય રૂપ થાય એ બનવાનું નહિ, જો એમ કહો કે જે આકારે ભેદ છે તે જ આકારે અભેદ છે, અને જે આકારે અભેદ છે તે જ આકારે ભેદ છે, તો તે પણ ઠીક નથી, કેમકે વિરૂદ્ધ વચન છે; જે આકારે ભેદ તે જ આકારે અભેદ કેમ બને? જે આકારે અભેદ તે જ આકારે ભેદ કેમ બને? એમ કહો કે જે આકારે ભેદ છે તે જ આકારે ભેદ અને અભેદ ઉભય છે, જે આકારે અભેદ છે તે આકારે અભેદ અને ભેદ ઉભય છે તો પણ જે આકારે ભેદ છે તે આકારે ભેદ જ છે, જે આકારે અભેદ છે તે આકારે અભેદ જ છે, એનો એ જ દોષ પુનઃ આવી પડશે. - વળી ભેદભેદનો સ્વીકાર કરનારે આટલું તો અવશ્ય
For Private and Personal Use Only