Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ્રવચનસાર પ્રવચનો તો મુનિ ઓળખાય? પરમ ઔદારિક શરીર હોય તો કેવળી ભગવાન ઓળખાય ? દિવ્યધ્વનિ હોય તો તીર્થકર ભગવાન ઓળખાય ? આ ચિહ્નોથી જીવ ઓળખાતો હશે?-કે ના. તે બધાં ચિહ્નો તો જડનાં છે. તેનાથી આત્મા ઓળખાતો નથી. પોતાના ચેતનાગુણથી દરેક આત્મા ઓળખાય છે. પોતાને ન ઓળખે તે પરને પણ ઓળખે નહિ. પોતાને ઓળખે તે જ પરને યથાર્થ ઓળખે છે. કોઈ બાહ્ય લિંગથી આત્મા ઓળખી શકાતો નથી. (૭) આત્મામાં અસંસ્થાનપણું છે. - શરીરના જુદાં જુદાં સંસ્થાનોથી એટલે આકારોથી આત્મા ઓળખી શકાતો નથી. આત્મા જડના બધા આકારોથી રહિત સ્વભાવવાળો છે આ પ્રમાણે આત્માને પુગલથી જુદા પાડવાનું સાધન (૧) અરસપણું, (૨) અરૂપપણું, (૩) અગંધપણું, (૪) અવ્યક્તપણું, (૫) અશબ્દપણું, (૬) અલિંગગ્રાહ્યપણું અને (૭) અસંસ્થાનપણું છે-તે કહ્યું. (માહુ વદ ૩ શનિવાર. ૨૪-૨-૫૧) જીવને અજીવથી જુદો પાડવાનું સાધન-“ચેતનામયપણું” પુદ્ગલથી આત્માને જુદો પાડવાનું સાધન કહ્યું. હવે પુગલ તથા અપુગલ એટલે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર અજીવ દ્રવ્યોથી આત્માને જાદો પાડવાનું સાધન-ચેતનાગુણમયપણું કર્યું છે. પુદગલ તથા બીજા અજીવથી જુદો પાડવાનું સાધન વિકાર, કામ, ક્રોધ વગેરે કહેલ નથી. ચેતના ગુણ છે ને ચેતન ગુણી છે. આત્મા જાણવાદેખવાના સ્વભાવથી અભેદ છે ને તે સાધન વડે બધા અજીવથી તેને જુદો પાડવો તે ધર્મ છે. જીવને બીજા જીવોથી જુદો પાડવાનું સાધન સ્વજીવદ્રવ્યાશ્રિત ચેતનામયપણું” આત્માને પ્રથમ પુદ્ગલોથી જુદો પાડ્યો. પછી બીજા અજીવથી જાદો પાડ્યો. હવે બીજા જીવોથી જુદો પાડે છે. પોતાનો ચેતના ગુણ પોતાના આત્માના આશ્રયે છે, બીજા આત્માના આશ્રયે નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99