________________
Version 001: remember fo check http://www.AfmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨ ]
[૧૩
નિમિત્ત પ્રાપ્ત થયું નથી તેને તો ધર્મ ક્યાંથી થાય? એટલે કે તેવા જીવને કોઈ કાળે ધર્મ થાય જ નહિ એમ કહેવાનો ભાવ છે. ત્યાં પણ તે જીવની યોગ્યતા બતાવવી છે.
આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી
આ પ્રમાણે આત્મા અલિંગગ્રહણ છે. આત્મા ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી એટલે ઇન્દ્રિયોથી જણાવાયોગ્ય નથી તેથી આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
અજ્ઞાની જીવ માને છે કે ૫૨ વિના, શબ્દ વિના, કાન વિના, આત્મા જણાય નહિ પણ તેની તે માન્યતા મિથ્યા છે. તે માન્યતા જ આત્મસ્વભાવથી વિપરીત છે. ૫૨ વિના જ જણાય તેવો સ્વભાવ છે. આત્મા ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી પણ જ્ઞાનપ્રત્યક્ષનો વિષય છે એવો તેમાંથી ભાવ નીકળે છે.
ઇન્દ્રિયોના આશ્રયે આત્મા જણાતો નથી પણ આત્માના આશ્રયે આત્મા જણાય છે એમ ખ્યાલ આવતાં ઇન્દ્રિયો તરફનું લક્ષ છૂટી જાય છે ને પોતાના જ્ઞાનસ્વભાવપ્રત્યક્ષનાં શ્રદ્ધા-જ્ઞાન થતાં ધર્મ થાય છે.
******
જ્ઞાનસ્વભાવમાં જણાતો આત્મજ્ઞેયપદાર્થ કેવો છે ?
(માહ વદ ૪ રિવવાર )
આત્મા જ્ઞેય છે ને તે જ્ઞાનવડે જણાવાયોગ્ય પદાર્થ છે. લિંગ વડે તે જણાય તેવો નથી.
(૧) આત્મા ઇન્દ્રિયોથી જાણે તેવો તે જ્ઞેયપદાર્થ નથી.
તેમાં પ્રથમ બોલઃ આત્માને ઇન્દ્રિયોથી જાણવું થતું નથી તેવો તે શેય પદાર્થનો સ્વભાવ છે. આ જ્ઞેયતત્ત્વ અધિકારમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com