Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 48
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨] [૪૧ આ રીતે આત્મા જે ક્યાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હવે આ બોલમાં ઉપયોગ બહારથી લવાતો નથી એમ કહે છે અનાદિથી મિથ્યાષ્ટિનો ઉપયોગ પર તરફ હતો, તે હવે પોતે કાંઈ સત્સમાગમ કરે, વાણી સાંભળે વગેરે શુભભાવ કરે તો ઉપયોગ સુધરે ખરો કે નહિ? કે-ના. ઉપયોગ ક્યાંય બહારથી લવાતો નથી, તે ક્રમસર અંતરમાંથી પ્રગટે છે; બહારના કોઈ કારણમાંથી પ્રગટતો નથી, માટે અકારણીય છે. આમ આત્માના ઉપયોગને યથાર્થ શ્રદ્ધવો-જાણવો તે ધર્મનું કારણ છે. - જે છે (માહ સુદ ૬ મંગળવાર) જ્ઞાનોપયોગ નિરાવલંબી છે એમ તું જાણ.... આત્મા દ્રવ્ય છે, તે પોતે ઇંદ્રિયોથી સ્વ તથા પરને જાણે તેવું તેનું સ્વરૂપ નથી. આત્મા પોતે ઇંદ્રિયોથી જણાય તેવું તેનું સ્વરૂપ નથી. ધુમાડાથી અગ્નિ જણાય તેમ આત્મા ઇંદ્રિયોના અનુમાનથી જણાય તેવો તેનો સ્વભાવ નથી. બીજાઓ વડે આત્મા કેવળ અનુમાનથી જણાય તેવો તે પ્રમેય પદાર્થ નથી. બીજા જીવો રાગરહિત સ્વસંવેદન જ્ઞાન વડે આત્માને જાણે તો તે જાણી શકાય. પોતે બીજા આત્માને કેવળ અનુમાનથી જાણે તેવો પોતાનો સ્વભાવ નથી, તે સ્વસંવેદનથી જાણી શકે છે. ૬. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે. પર પદાર્થની અપેક્ષા વિનાનો, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com > સં

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99