Book Title: Alinggrahan Pravachan
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨] [ પ્રવચનસાર પ્રવચનો આત્મા ચેતના-પ્રાણથી જીવે છે આ રીતે આત્મા માતા-પિતાનાં શુક્ર અને આર્તવને અનુસરીને થનારો નથી ને તે વડે ઊપજતો નથી, આત્મા દસ પ્રાણવાળો નથી વગેરે બધી વાત નાસ્તિથી કરી છે, તો પછી આત્મા કોણ છે? કેવો છે? આત્મા સદાકાળ પોતાના ચેતના-પ્રાણથી જીવે છે ને પોતાના પરમ બોધ અને આનંદને અનુસરીને થનારો છે. અનાદિકાળથી દસ પ્રાણ ઉપર તારી દષ્ટિ છે ને એનાથી જીવ જીવી રહ્યો છે એમ હું માને છે-તે તારી દષ્ટિ છોડ ને ચૈતન્યપ્રાણ સ્વરૂપ છો એવી દષ્ટિ કર. અહીં અલિંગગ્રહણનો અર્થ અન્નનહિં, લિંગ=ઈન્દ્રિય, મન, ગ્રહણ=જીવત્વને ધારી રાખવું. એટલે કે ઈન્દ્રિય અને મન વગેરે લક્ષણ દ્વારા આત્મા જીવત્વને ધારણ કરતો નથી-એમ ભાવ સમજી સ્વજ્ઞયનાં યથાર્થ શ્રદ્ધા જ્ઞાન કરવાં તે ધર્મનું કારણ છે. (૧૪) આત્મા જડ ઇંદ્રિયોના આકારને ગ્રહણ કરતો નથી એમ સ્પશેયને જાણ. લિંગનું એટલે મેહનાકારનું (પુરુષાદિની ઇંદ્રિયના આકારનું ) ગ્રહણ જેને નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા લૌકિક સાધન માત્ર નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આ શરીરની ઈદ્રિયોના જે આકાર દેખાય છે તેને જીવે ગ્રહ્યા નથી. પુરુષની ઈદ્રિયની, સ્ત્રીની ઇંદ્રિયની, નપુંસકની ઈદ્રિયની આકૃતિઓ જે દેખાય છે તે તો બધી પુદ્ગલની અવસ્થા છે. તે આકૃતિનો આત્મામાં અભાવ છે અને આત્માનો તે આકારમાં અભાવ છે. જે વસ્તુનો જેમાં અભાવ હોય તે અભાવવાળી વસ્તુને ગ્રહે એમ બની શકે જ નહિ માટે આત્મા ઇંદ્રિયોના આકારને ગ્રહતો નથી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99